રણબીર અને નીતૂએ આપી શ્રદ્ધાંજલિ, રિદ્ધિમા પહોંચી માતા પાસે, જુઓ તસવીરો
રણબીર કપૂર અને નીતૂ કપૂરે ઋષિ કપૂરના નિધન બાદ કરી પૂજા
ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમની પત્ની નીતૂ કપૂર અને દીકરા રણબીર કપૂરે પોતાના નિવાસસ્થાને પૂજાનું આયોજન કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરમાં મા-દીકરાને ઋષિ કપૂરની ફોટોફ્રેમ સાથે જોઇ શકાય છે. જે ફોટોફ્રેમને ફુલો દ્વારા સજાવી છે. જેમાં રણબીરે કુર્તો પહેરી રાખ્યો છે અને કપાળે તિલક કર્યું છે સાથે જ તેણે કેસરી પાઘડી પહેરી છે. અને નીતૂ કપૂરે સફેદ સલવાર સૂટ પહેર્યું છે. બન્ને પૂજાસ્થળ પાસે બેઠેલા દેખાય છે.
ADVERTISEMENT
પ્રાર્થના સભાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ ખઈ રહી છે અને તેમના ચાહકો અને હિતેચ્છુઓ આ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. બે વર્ષથી કેન્સરથી પીડિત ઋષિ કપૂરે કેન્સર સામેની મોટી જંગ બાદ ગુરુવારે 30 એપ્રિલની સવારે તેમણે હાર સ્વીકારી. અને તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે ચંદનવાડી સ્મશાનમાં કરવામાં આવ્યા.
ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર આ અંતિમ સંસ્કારમાં પહોંચી શકી ન હતી. તેને આજે જ દિલ્હીથી મુંબઇ પોતાની માતા નીતૂ કપૂર પાસે પહોંચી છે. તેની સાથે પુત્રી સમારા પણ છે. રિદ્ધિમાની પહોંચવાની તસવીરો આવી ગઈ છે જેમાં રિદ્ધિમા અને તેની દીકરી સમારા બન્ને દેખાય છે અને બન્નેએ માસ્ક પણ પહેર્યું છે આ તસવીરોમાં કેટલીક પોલીસ પણ દેખાય છે. રિદ્ધિમા રોડ ટ્રાવેલિંગ દ્વારા દિલ્હીથી મુંબઇ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે પિતાના નિધન સમયે રિદ્ધિમાએ મુંબઇ પહોંચવાના પ્રયત્નો કર્યા હતા, પણ શક્ય થઈ શક્યું નહીં, રિદ્ધિમાએ પ્રયત્ન કર્યો તેને ચાર્ટર્ડ પ્લેનથી જવાની પરવાનગી મળે, પણ એ શક્ય નથી થઈ શક્યું, અને રિદ્ધિમા ઋષિ કપૂરના અંતિમ દર્શન કરી શકી નહીં. તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો શૅર કર્યો હતો જેમાં તેના કારની બારી દેખાતી હતી અને તેણે લખ્યું "ઘરે આવું છું મા"
આ પહેલા પણ રિદ્ધિમાએ પોતાની સ્ટોરીમાં પિતાની તસવીરો શૅર કરીને તેમને યાદ કર્યા હતા. તેણે દરેક તસવીર સાથે જુદું કૅપ્શન આપ્યું હતું તેણે "મિસ યુ પાપા" એવા કૅપ્શન સાથે આખા પરિવારની તસવીર પણ શૅર કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂરના જમાઇ ભરત સાહનીએ પણ તેમને યાદ કરીને એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેમણે તેમની યાદગાર ફેમિલી તસવીરો શૅર કરી છે. આ તસવીરો શૅર કરતાંની સાથે ભરત સાહનીએ લખ્યું છે કે, "તમે મને જે પ્રેમ આપ્યો છે તે હું ક્યારેય નહીં ભૂલું. તમે ખૂબ જ ઓછા સમયમાં મને ઘણીબધી શીખામણો આપી છે. આજે હું તૂટી ગયો છું. શબ્દો ખોવાયા છે. લવ યૂ અને હું તમને ખૂબ જ મિસ કરવાનો છું. ભગવાન તમારી આત્માને શાંતિ આપે પાપા."
નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર માત્ર તેમના પરિવારજનો જ નહીં પણ મિત્રો તેમજ ચાહકો પણ જુદી જુદી રીતે પોસ્ટ શૅર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે તેમને યાદ કરે છે.