કોરોનાને લઈને રામ ગોપાલ વર્માનું ટ્વીટ, મૃત્યુ પણ મેડ ઇન ચાઇના...
ભારતમાં કોરોના વાયરસને લઇને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. લોકોમાં આ બીમારીને કારણે ઘણો ભયનો માહોલ છે અને લગભગ બધાં જ શક્ય તેટલા સાવચેત બની રહ્યા છે. દેશના પીએમથી લઈને બોલીવુડ સેલેબ્સ પણ લોકોને સ્વસ્થ રહેવાની સલાહ આપી રહ્યા છે. એવામાં બોલીવુડના જાણીતાં નિર્દેશક રામગોપાલ વર્માએ આ બાબતે અટપટાં ટ્વીટ કર્યા છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2020
ADVERTISEMENT
Dear Virus, instead of being so dumb and killing everyone get educated that u too will die along with us because u are a parasite ..If u don’t believe me take a crash course in virology ..So my request to u is to live and let live ..I hope wisdom will prevail upon u
— Ram Gopal Varma (@RGVzoomin) March 4, 2020
નિર્દેશકે આ ટ્વીટ 3 માર્ચે કર્યા હતા, પણ ભારતમાં કોરોનાના મામલા વધ્યા બાદ હવે તે વાયરલ થઈ રહ્યા છે. પોતાના ટ્વીટમાં રામગોપાલ વર્માએ લખ્યું, "મેં ક્યારે વિચાર્યું ન હતું કે અમારું મૃત્યુ પણ મેડ ઇન ચાઇના હશે." આ ટ્વીટ પછી નિર્દેશકે બીજા પણ ઘણાં ટ્વીટ કર્યા. તાજેતરમાં કરવામાં આવેલા ટ્વીટમાં નિર્દેશકે લખ્યું, "ડિયર વાયરસ, બુદ્ધુ હોવા અને બધાંને મારવાને બદલે થોડું ભણી લે, તું પણ અમારી સાથે મરી જઈશ. તેથી અમારી રિક્વેસ્ટ છે તને કે જીવો અને જીવવા દો."
If there are much lesser number of cases in India , it either means we are just plain lucky or that coronavirus doesn’t like Indians much
— Ram Gopal Varma (@RGVzoomin) March 4, 2020
Till just 2 months ago people used to bless you, when u sneeze and now THEY RUN FOR THEIR LIVES ???
— Ram Gopal Varma (@RGVzoomin) March 5, 2020
બીજા ટ્વીટમાં રામ ગોપાલ વર્માએ લખ્યું, "જો ભારતમાં આના ઓછા કેસ છે તો કાં તો આપણે લકી છીએ અથવા કોરોનાવાયરસને ભારતીય કંઇ ખાસ પસંદ નથી." "બે મહિના પહેલા સુધી જ્યારે તમને છીંક આવતી હતી તો તમે તેમને બ્લેસ કરતા હતા, પણ હવે તમે તમારો જીવ બચાવવા દોડો છો."