મોનિકા બેદી ઇચ્છે છે કે તેની આપવીતી પર વેબ-સિરીઝ બને
મોનિકા બેદી
સન્ની લિઓનીની લાઇફ પરથી બનેલી વેબ-સિરીઝ ‘કરનજીત કૌર’ જોઈને મોનિકા બેદીને પણ ઇચ્છા થઈ આવી છે કે તેની લાઇફ પર વેબ-સિરીઝ બનાવવામાં આવે. લંડનથી છેક મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરવા આવેલી મોનિકા બેદી અન્ડરવર્લ્ડ ડૉન અબુ સાલેમ સાથે પોર્ટુગલથી લાવવામાં આવી અને એ પછી તે લાંબો સમય જેલમાં રહી હતી. અબુ સાથે મોનિકાએ ઑલમોસ્ટ એક દશકો પસાર કર્યો છે, એ સમયગાળાને તે યાતનાનો સમયગાળો કહે છે.
મોનિકા કેવી રીતે ઇન્ડસ્ટ્રીમાં આવી, કેવી રીતે તેને પહેલો બ્રેક મળ્યો, તેના સંઘર્ષથી માંડીને અબુ સાલેમ કેવી રીતે તેની લાઇફમાં આવ્યો અને તે કઈ રીતે અબુના ચક્કરમાં ફસાઈ અને તેણે ઇન્ડિયા કેવા સંજોગોમાં છોડવું પડ્યું એ બધી વાતો આ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરતી તમામ વ્યક્તિને ઉપયોગી બને એવી છે એટલે મોનિકા ઇચ્છે છે કે એ બધી વાતો વેબ-સિરીઝ થકી મૅક્સિમમ લોકો સુધી પહોંચે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સેક્રેડ ગેમ્સ 2ની નુકતેચીનીએ જુનિયર બચ્ચનને પણ ડરાવી દીધો
મોનિકાએ પોતે જ આની માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને આપવીતીને પેપર પર લેવાનું પણ શરૂ કરી દીધું છે.