ઍક્ટર છે એ ભૂલી એક સામાન્ય વ્યક્તિ તરીકે રહે છે રજનીકાન્ત
રજનીકાંત
રજનીકાન્તનું કહેવું છે કે તેઓ જ્યારે ઍક્ટિંગ કરી લે છે ત્યાર બાદ પોતે ઍક્ટર છે એ ભૂલીને પોતાના મૂળ અસ્તિત્વ શિવાજી રાવના અવતારમાં આવી જાય છે. તેમનું ઓરિજિનલ નામ શિવારજીરાવ ગાયકવાડ છે. તેઓ ઇન્ડિયાના સૌથી મોટા સુપરસ્ટાર છે અને છતાં તેઓ ખૂબ જ વિનમ્રતાથી વાત કરે છે. આ વિશે પૂછતાં રજનીકાન્તે કહ્યું હતું કે ‘તમે જ્યારે ઍક્ટિંગ કરી લો ત્યારે એ બાબત ત્યાં જ પૂરી થઈ જાય છે. હું રજનીકાન્ત છું એ વાત ભૂલી જાઉં છું અને શિવાજી રાવ બની જાઉં છું. મને કોઈ યાદ અપાવે કે તમે રજનીકાન્ત છો ત્યારે હું તેમને કહું છું કે હા, હું રજનીકાન્ત છું.’
રજનીકાન્તે હાલમાં ડિસ્કવરીના શો ‘ઇન ટુ ધ વાઇલ્ડ વિથ બેઅર ગ્રિલ્સ’ સાથે કામ કર્યું હતું. આ વિશે વધુ જણાવતાં રજનીકાન્તે શોમાં કહ્યું હતું કે ‘મારી લાઇફ હંમેશાં મિરૅકલ જેવી રહી છે. આ સાચે જ એક જાદુ જેવી વાત છે. આ શોની જ વાત લઈ લો તો હું કહીશ કે મેં ક્યારેય આ વિશે વિચાર્યું નહોતું.’