Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બાર વર્ષે ફરી મસ્તક પર મુગટ

બાર વર્ષે ફરી મસ્તક પર મુગટ

07 April, 2020 02:28 PM IST | Rajkot
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાર વર્ષે ફરી મસ્તક પર મુગટ

રાજેશ શૃંગારપુર

રાજેશ શૃંગારપુર


&tv પર આવતી ‘કહત હનુમાન જય શ્રી રામ’ જોવાનું વધુ એક કારણ ઑડિયન્સને હવે મળવાનું છે. જાણીતા ટીવી સ્ટાર અને મરાઠી ઍક્ટર રાજેશ શૃંગારપુર હવે આ ઐતિહાસિક ટીવી સિરિયલમાં જોવા મળશે. રાજેશ આ પ્રકારની સિરિયલનું બહુ જાણીતું નામ છે. તેણે અગાઉ ભગવાન વિષ્ણુથી માંડીને શિવ, અગ્નિદેવ અને કૃષ્ણ જેવાં અનેક પાત્રો નિભાવ્યાં છે. લાંબો સમય સુધી આ પ્રકારનાં પાત્રો નિભાવ્યા પછી રાજેશે આ પ્રકારનાં કૅરૅક્ટર કરવાની લગભગ ના પાડવાની શરૂ કરી દીધી હતી અને એટલે જ છેલ્લાં બાર વર્ષથી તેણે કોઈ ઐતિહાસિક કૅરૅક્ટર કર્યું નહોતું, પણ ‘કહત હનુમાન જય શ્રી રામ’ની ઑફર મળતાં તે ના ન પાડી શક્યો અને તેણે સિરિયલમાં ભગવાન શનિ બનવાનું પસંદ કર્યું.

રાજેશે કહ્યું હતું, ‘સારાં પાત્રો માટે રાહ જોવી પડતી હોય છે. અમુક પાત્રો કર્યા પછી બહુ ટિપિકલ કૅરૅક્ટર ઑફર થતાં હોવાથી એ કૅરૅક્ટર નહીં કરવાનો નિર્ણય લીધો હતો પણ શનિદેવની વાત જ જુદી છે. એ કૅરૅક્ટરમાં જેટલા શેડ્સ છે એટલા શેડ્સ તમને માઇથોલૉજિકલ કૅરૅક્ટરમાં ભાગ્યે જ જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2020 02:28 PM IST | Rajkot | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK