રહાણેનો સોશ્યલ મીડિયામાં પ્રશ્ન તમને વડાપાંઉ શાની સાથે ભાવે?
ખાવાની બાબતમાં મહારાષ્ટ્રચા મુલગા અજિંક્ય રહાણેએ વડાંપાઉ ખાતાં-ખાતાં એક સવાલ સોશ્યલ મીડિયામાં પૂછ્યો હતો, જેનો જવાબ આપવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુકલકરને ઘણો રસ પડ્યો એમ કહી શકાય.
અજિંક્યએ હાથમાં વડાપાંઉ સાથેનો પોતાનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો અને પૂછ્યું કે ‘તમને વડાપાંઉ શાની સાથે ખાવાનું ગમે? ૧. વડાપાંઉ ચા સાથે. ૨. વડાપાંઉ ચટણી સાથે ૩. ફક્ત વડાપાંઉ?’
રહાણેના આ ખાતા-પીતા સવાલનો જવાબ આપતાં તેન્ડુલકરે કહ્યું, ‘મને લાલ ચટણી સાથે વડાપાંઉ ઘણાં ભાવે. બહુ જ ઓછી લીલી ચટણી અને ટેસ્ટ માટે આમલીની ચટણી.’
જોકે તેન્ડુલકરે અગાઉ પણ કહ્યું કે તે પોતાના પુત્ર અર્જુન સાથે શિવાજી પાર્ક જિમખાના વડાપાંઉ ખાવા જાય છે. ત્યાંનાં વડાપાંઉ ચટણી સાથે પિતા-પુત્ર બન્નેને ભાવે છે.