એન્ટરટેઇનમેન્ટ વગર બૉલીવુડમાં ટકી રહેવું શક્ય નથી : પ્રિયદર્શન
પ્રિયદર્શન
ફિલ્મ મેકર પ્રિયદર્શને જણાવ્યું હતું કે મનોરંજન પર ધ્યાન આપ્યા સિવાય બૉલીવુડમાં ટકી રહેવુ અશક્ય છે. તેઓ સાત વર્ષ બાદ ફરી એકવાર બૉલીવુડમાં પાછા ફર્યા છે. પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે તેઓ ‘હંગામા 2’ બનાવી રહ્યાં છે. તેમણે સાઉથની ફિલ્મો બનાવવા પર ગંભીરતા દેખાડી હતી. આ વિશે પ્રિયદર્શને કહ્યું હતું કે ‘મેં સાઉથની ફિલ્મોને ગંભીરતાથી લીધી છે. મેં બૉલીવુડની ફિલ્મોમાં એ ગંભીરતા નથી દેખાડી કારણ કે બૉલીવુડમાં લોકોને એન્ટરટેઇનમેન્ટમાં વધુ રસ છે પછી ભલે એનો કોઈ અર્થ ન નિકળતો હોય. મારુ એવું માનવું છે કે બૉલીવુડમાં સ્થાન જમાવી રાખવા માટે એન્ટરટેઇનમેન્ટ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. મારા અંગત વિષયોને કારણે છેલ્લા થોડા વર્ષો મારે માફક નહોતાં.
આ પણ વાંચો : અનુપમ ખેર જોકર છે : નસીરુદ્દીન શાહ
ADVERTISEMENT
મેં મોહનલાલની સાથે ‘ગીતાંજલી’ બનાવી. એ સફળ થઈ એટલે મને વધુ પ્રેરણાં મળી. મેં બૉલીવુડમાં ‘ગર્દીશ’ અને ‘વિરાસત’ જેવી ફિલ્મો બનાવી હતી. જોકે ‘હેરાફેરી’ને કારણે હું કૉમેડી ફિલ્મો કરવા બંધાઈ ગયો. મેં હવે નક્કી કર્યું છે કે હું સાઉથની ફિલ્મોમાં એક્સપેરિમેન્ટ કરીશ અને બૉલીવુડમાં મનોરંજન પિરસીશ. હું હવે એ વાત જાણી ગયો છું કે મારે મારી એનર્જીનો કઈ રીતે યોગ્ય દિશામાં ઉપયોગ કરવાનો છે.’