પીઢ અભિનેતા પ્રાણને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
છ દાયકાથી વધુ સમય સુધી અભિનય કરનારા પ્રાણનું આખું નામ પ્રાણ કિશન સિંકદ હતું. તેમનો દિલ્હીના એક ધનાઢ્ય પંજાબી કુટુંબમાં જન્મ થયો હતો. ૧૯૪૫માં રજૂ થયેલી ‘યમલા જટ’ ફિલ્મથી તેમણે વિલનની ભૂમિકાથી ફિલ્મક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેમણે કોઈ દિવસ પાછા વળીને જોવું નહોતું પડ્યું. શરૂઆતનાં વર્ષો તેઓ લાહોરમાં રહ્યા હતા. ત્યાં તેમણે બાવીસ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. દેશના વિભાજન બાદ તેઓ મુંબઈમાં સ્થાયી થયા હતા. ૧૯૬૯થી ૧૯૮૨ સુધી તેઓ ફિલ્મી પડદે વિલન તરીકે કામ કરતા રહ્યા હતા. તેમણે કરેલી ફિલ્મોમાંથી ૧૯૭૩માં રજૂ થયેલી ‘ઝંજીર’, ‘ઉપકાર’ અને ૧૯૭૮માં આવેલી ‘ડૉન’માં તેમના અભિનયથી તેમણે લોકોમાં અદ્ભુત ચાહના મેળવી હતી.
આ અગાઉ દિગ્દર્શક સત્યજિત રે, અભિનેતા દેવ આનંદ અને નર્મિાતા-દિગ્દર્શક યશ ચોપડાને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.