Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > હિન્દુઓની લાગણી દુભાવવા પ્રકાશ ઝાની આશ્રમને મળી લીગલ નોટિસ

હિન્દુઓની લાગણી દુભાવવા પ્રકાશ ઝાની આશ્રમને મળી લીગલ નોટિસ

06 November, 2020 06:26 PM IST | Mumbai
Mumbai Correspondent

હિન્દુઓની લાગણી દુભાવવા પ્રકાશ ઝાની આશ્રમને મળી લીગલ નોટિસ

આશ્રમ

આશ્રમ


હિન્દુઓની લાગણી દુભાવવા માટે પ્રકાશ ઝાની ‘આશ્રમ : ચૅપ્ટર 2 ધ ડાર્ક સાઇડ’ને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. ડિજિટલ પ્લૅટફૉર્મ એમએક્સ પ્લેયર પર રિલીઝ થઈ રહેલી આ સીઝનમાં બૉબી દેઓલ લીડ રોલમાં છે. આ શોમાં હિન્દુઓના આશ્રમ ધર્મ વિશે વાત કરવામાં આવી રહી છે. આ શોમાં હિન્દુઓની લાગણીને દુભાવવામાં આવી હોવાથી બુધવારે લીગલ નોટિસ મોકલવામાં આવી હતી. કરણી સેનાના પ્રદેશ સંગઠન મહામંત્રી સુરજિત સિંહ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફ્યુચર જનરેશન આ વેબ શોને જોઈને હિન્દુ ધર્મ અને આશ્રમ ધર્મ વિશે નેગેટિવ વિચારધારા બનાવશે.
આ શોની પહેલી સીઝનમાં પણ વાંધાજનક દૃશ્યો હતાં અને બીજી સીઝનના ટ્રેલરમાં પણ એવાં કેટલાંક દૃશ્યો દેખાડવામાં આવ્યાં હોવાનું આ નોટિસમાં કહેવામાં આવ્યું છે. આથી ટ્રેલરને કાઢીને આ શોને રિલીઝ ન કરવા માટે પણ નોટિસમાં કહેવામાં આવ્યું છે. આ શો અગિયાર નવેમ્બરે રિલીઝ થઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2020 06:26 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK