Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાહો માટે ફિલ્મની તારીખો બદલવા બદલ પ્રભાસે ફિલ્મમેકર્સનો માન્યો આભાર

સાહો માટે ફિલ્મની તારીખો બદલવા બદલ પ્રભાસે ફિલ્મમેકર્સનો માન્યો આભાર

08 August, 2019 01:16 PM IST | ચેન્નાઈ

સાહો માટે ફિલ્મની તારીખો બદલવા બદલ પ્રભાસે ફિલ્મમેકર્સનો માન્યો આભાર

પ્રભાસ

પ્રભાસ


પ્રભાસની ‘સાહો’ ૩૦ ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને સોલો રિલીઝ આપવા માટે અન્ય ફિલ્મોએ તેમની ફિલ્મની તારીખ ચૅન્જ કરી દીધી છે. આ માટે પ્રભાસે તમામ ફિલ્મમેકર્સનો આભાર માન્યો છે. ‘બાહુબલી’ બાદ પ્રભાસની ‘સાહો’ને લઈને ખૂબ જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર પણ જોવા મળી રહી છે. આ ફિલ્મ પહેલાં પંદર ઑગસ્ટે રિલીઝ થવાની હતી. જોકે તેના ઍક્શન માટે વધુ સમય લાગ્યો હોવાથી એને હવે ૩૦ ઑગસ્ટે રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ દિવસે સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની ‘છિછોરે’ રિલીઝ થવાની હતી જેને હવે છ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ સાથે જ રાજકુમાર રાવ અને મૌની રૉયની ‘મૅડ ઈન ચાઇના’ પણ રિલીઝ થવાની હતી જેની તારીખ પણ બદલી કાઢવામાં આવી છે. જોકે હજી સુધી એની તારીખને જાહેર કરવામાં નથી આવી.

આ પણ વાંચો : સંજય લીલા ભણસાલીની ફિલ્મો જોઈને હિરોઇન બનાવાનું નક્કી કર્યું હતું જૅકલિને



બૉલીવુડ નહીં, પરંતુ સાઉથની ફિલ્મોની પણ રિલીઝ ડેટ બદલવામાં આવી છે. આથી ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરી પ્રભાસે કહ્યું હતું કે ‘દરેક ઍક્ટર્સ, પ્રોડ્યુર્સ અને ડિરેક્ટર્સનો હું આભાર માનું છું જેમણે ‘સાહો’ની સોલો રિલીઝ માટે તેમની ફિલ્મોની તારીખ ચૅન્જ કરી છે. ટીમ ‘સાહો’ તમારા આ કાર્ય બદલ ખૂબ જ આભારી છે અને તમારી ફિલ્મોની રિલીઝ માટે શુભેચ્છા વ્યક્ત કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2019 01:16 PM IST | ચેન્નાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK