Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોપ આઇકોન બિયોન્સેએ ઘરમાં પાળી છે 80,000 મધમાખીઓ

પોપ આઇકોન બિયોન્સેએ ઘરમાં પાળી છે 80,000 મધમાખીઓ

03 November, 2020 03:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પોપ આઇકોન બિયોન્સેએ ઘરમાં પાળી છે 80,000 મધમાખીઓ

બિયોન્સે

બિયોન્સે


પોપ આઇકોન બિયોન્સે (Beyonce)એ તેના ઘરમાં 80,000 મધમાખીઓ પાળી છે. આનું કારણ તેની દીકરીઓ બ્લુ આઈવી અને રૂમી છે. તે બન્ને એલર્જી છે અને તેનો ઉપચાર માત્ર મધ છે. માટે બિયોન્સેએ તેના ઘરમાં જ બે મધમાખીના ટોપ લગાવ્યા છે. જેમાંથી દર વર્ષે ઘણું મધ મળે છે.

તાજેતરમાં વોગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બિયોન્સેએ ઘણી વાતો શૅર કરી છે તેમાં જ તેણે આ મધમાખીઓ ઘરમાં પાળી હોવાનો પણ ખુલાસો કર્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેના વિશેની સૌથી ચોંકાવનારી વાત કઈ હશે તો તેણે મધમાખીઓનો ખુલાસો કર્યો. બિયોન્સે કહ્યું કે, મેં મારા ઘરમાં લગભગ 80,000 મધમાખીઓ પાળી છે. જેનું કારણ છે મારી દીકરીઓ, બ્લુ આઈવી અને રૂમી. તે બન્ને એલર્જી છે અને તેનો ઉપચાર માત્ર મધ છે. ઘરમાંથી જ મધ મળી રહે એટલે મેં આમ કર્યું છે.



આ ઈન્ટરવ્યૂમાં તેણે સફળતા પર પણ વાત કરી. તેણે કહ્યું મારી ફિલ્મો, કપડાંની કંપની જ મારા મારે મહત્ત્વના છે. બિયોન્સેએ તેના વર્ક કમિટમેન્ટને લઈને પણ જણાવ્યું. તેણે કહ્યું કે, એક વાર કમિટમેન્ટ આપ્યું તો તેના માટે સંપૂર્ણ ડેડિકેશન હોય છે. મારી સાથે રોક કરવા માટે ઘણી ધીરજની જરૂર હોય છે. મારી પ્રોસેસ થકવી દે એવી હોય છે. હું ક્યારેક ફૂટેજની દરેક સેકન્ડની સમીક્ષા કરું છું અને ઘણીવાર ફોરવર્ડ અને બેકવર્ડ કરીને તેની સમીક્ષા કરું છું.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2020 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK