Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૂજા બત્રાએ જણાવ્યું કે કેમ કર્યો તેણે નવાબ સાથે લગ્ન કરવાનો નિર્ણય

પૂજા બત્રાએ જણાવ્યું કે કેમ કર્યો તેણે નવાબ સાથે લગ્ન કરવાનો નિર્ણય

15 July, 2019 07:10 PM IST | મુંબઈ ડેસ્ક

પૂજા બત્રાએ જણાવ્યું કે કેમ કર્યો તેણે નવાબ સાથે લગ્ન કરવાનો નિર્ણય

પૂજા બત્રા

પૂજા બત્રા


બોલીવુડ અભિનેત્રી પૂજા બત્રાએ તાજેતરમાં જ અભિનેતા નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે. ચર્ચા એ હતી કે બન્નેએ જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં લગ્ન કર્યા છે. પણ અભિનેત્રીએ હવે પોતે જ પોતાના લગ્નની ચર્ચાઓ બાબતે મૌન તોડ્યું છે. હકીકતે, પૂજા અને નવાબે લગ્ન કરી લીધા આ વાતની ખબર ત્યારે પડી જ્યારે નવાબે પોતાની અને પૂજાની એક તસવીર શેર કરી જેમાં પૂજાના હાથમાં ચૂડો દેખાય છે અને નવાબની આંગળીમાં વીંટી.

 
 
 
View this post on Instagram

With My Wonder Woman ? My Mom

A post shared by Pooja Batra (@poojabatra) onJul 15, 2019 at 1:09am PDT




અભિનેત્રીની બેસ્ટ ફ્રેન્ડ કશ્મીરા શાહે આ વાતની પુષ્ટિ પહેલાથી જ કરી દીધી હતી. બન્નેએ લગ્ન કરી લીધા છે. પણ પૂજા કે નવાબ તરફથી કોઈપણ નિવેદન આપ્યું નહોતું. પણ હવે એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં પૂજાએ વિસ્તારપૂર્વક જણાવ્યું છે. તેમના લગ્ન ક્યાં થયા છે? કેવી રીતે તેણે લગ્નનો નિર્ણય કર્યો? અભિનેત્રીએ જણાવ્યું કે, હા મેં અને નવાબે લગ્ન કરી લીધા છે. અમે દિલ્હીમાં લગ્ન કર્યા હતા.

 Pooja Batra 


અમારા લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. મારા મિત્રો મને ઘણાં સમયથી પૂછતાં હતા કે અમે લગ્ન કેમ નથી કરતાં. મને પણ એવું ફીલ થયું કે નવાબ જ એ વ્યક્તિ છે જેની સાથે હું મારું આગામી જીવન પસાર કરી શકે છે. અને હવે રાહ જોવાનો કોઈ અર્થ જ નથી. તેથી અમે આર્ય સમાજની માન્યતાઓ પ્રમાણે લગ્ન કર્યા છે. આ અઠવાડિયે અમે લગ્ન રજિસ્ટર કરાવી લેશું.

 
 
 
View this post on Instagram

In your corner #selfie

A post shared by Pooja Batra (@poojabatra) onJul 12, 2019 at 10:38pm PDT

જ્યારે પૂજાને પૂછવામાં આવ્યું કે નવાબે તેને કયા અંદાજમાં પ્રપોઝ કર્યું. ત્યારે અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે અમારી રિલેશનશિપની શરૂઆત જ હતી ત્યારે એક વાર નવાબ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો. તેણે ત્યારે જ મને પ્રપોઝ કરવાનું વિચારી લીધું હતું, પણ તે નર્વસ હતો તેથી તેણે એવું ન કર્યું. પછી તેણે મને દિલ્હીમાં પ્રપોઝ કર્યું અને બીજીવાર જ્યારે તે મારા પેરેન્ટ્સને મળવા પોતાના પરિવાર સાથે આવ્યો ત્યારે પ્રપોઝ કર્યું.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

ઉલ્લેખનીય છે કે પૂજા બત્રાએ 2002માં ઑર્થોપેડિક સર્જન સોનૂ એસ આહલૂવાલિયા સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તે બોલીવુડથી દૂર થઈ ગઈ છે. જો કે કેટલાક વર્ષો બાદ તેમના લગ્નજીવનમાં સમસ્યાઓ આવી અને વર્ષ 2011માં પૂજાએ છૂટાછેડા લઈ લીધા.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 07:10 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK