Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મિસ્ટર બજાજનું પાત્ર ભજવતાં મને લાઇફ એક સર્કલ જેવી લાગે છે : કરણ પટેલ

મિસ્ટર બજાજનું પાત્ર ભજવતાં મને લાઇફ એક સર્કલ જેવી લાગે છે : કરણ પટેલ

27 June, 2020 09:45 PM IST | Mumbai
Agencies

મિસ્ટર બજાજનું પાત્ર ભજવતાં મને લાઇફ એક સર્કલ જેવી લાગે છે : કરણ પટેલ

કરણ પટેલ

કરણ પટેલ


કરણ પટેલનું કહેવું છે કે ‘કસૌટી ઝિંદગી કી’માં મિસ્ટર બજાજનું પાત્ર ભજવવું એ એક લાઇફના સર્કલ જેવું છે. ‘કસૌટી ઝિંદગી કી’ શો ૨૦૦૧થી ૨૦૦૮ સુધી દેખાડવામાં આવ્યો હતો. એ વખતે રોનિત રૉય મિસ્ટર બજાજની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિરિયલથી તેને ખૂબ લોકપ્રિયતા મળી હતી. આ શોની સેકન્ડ સીઝન આવતાં કરણ સિંહ ગ્રોવરે મિસ્ટર બજાજનું પાત્ર ભજવ્યું હતું. જોકે હવે તેને રિપ્લેસ કરવામાં આવતાં આ રોલ કરણ પટેલને મળ્યો છે. એ વિશે કરણે કહ્યું હતું કે ‘હું મિસ્ટર બજાજના પાત્રને લઈને ખૂબ ઉત્સાહિત છું અને એનું શૂટિંગ ટૂંક સમયમાં કરવાના છીએ. ૩ મહિના બાદ શૂટિંગ શરૂ કરવાથી એ ખૂબ જ મજેદાર રહેવાનું છે. ખાસ વાત તો એ છે કે ઓરિજિનલ શોમાં મેં મિસ્ટર બજાજના દીકરાના ફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. હવે હું મિસ્ટર બજાજનું પાત્ર ભજવવાનો છું. એથી લાઇફ એક સર્કલ સમાન લાગે છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2020 09:45 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK