Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરાનાઇરસથી સંક્રમિત પ્લેબૅક સિંગર એસ પી બાલસુબ્રમણ્યમની તબિયત નાજુક

કોરાનાઇરસથી સંક્રમિત પ્લેબૅક સિંગર એસ પી બાલસુબ્રમણ્યમની તબિયત નાજુક

14 August, 2020 08:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોરાનાઇરસથી સંક્રમિત પ્લેબૅક સિંગર એસ પી બાલસુબ્રમણ્યમની તબિયત નાજુક

એસ પી બાલસુબ્રમણ્યમ

એસ પી બાલસુબ્રમણ્યમ


પ્રખ્યાત ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમ જેમને કોરોના પૉઝિટીવ હોવાના સમાચાર થોડા સમય પહેલાં જ આવ્યા હતા તેમની હાલત નાજુક છે. તેમની તબિયત સુધરી અને ફરી કથળતા તેમને આઇસીયુમાં દાખલ કરાયા છે. તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે. આજા શામ હોને આઈ, મૌસમને લી અંગડાઇ જેવા ગીતોથી લોકોનાં દિલ જીતનારા બાલાસુબ્રમણ્યમને કોરોના ચેપ લાગ્યો હોવાથી ચેન્નાઈની એમજીએમ હેલ્થ કેર હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે, શુક્રવારે સાંજે ડૉકટરોએ એસ.પી.બાલાસુબ્રમણ્યમના સ્વાસ્થ્યનો રિપોર્ટ જણાવ્યો હતો.




તેઓ 5 ઑગસ્ટથી હૉસ્પિટલમાં છે અને તબિયત લથડતા તેને ગઈકાલે રાત્રે આઇસીયુ ખસેડાયા  હતો અને સારવાર આપવામાં આવી રહી છે. ડોકટરોની એક ટીમ હાલમાં વેન્ટિલેટર પર મુકાયેલા બાલાસુબ્રમણિયનના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાલાસુબ્રમણ્યમની તબિયત ગઈરાતથી અચાનક બગડી ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2020 08:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK