pk અને OMGની સરખામણી ન થઈ શકે : આમિર ખાન
ADVERTISEMENT
‘OMG’ ગુજરાતી નાટક ‘કાનજી વિરુદ્ધ કાનજી’ પરથી બની હતી અને એમાં પરેશ રાવલ અને અક્ષયકુમાર લીડ રોલમાં હતા તેમ જ એની સ્ટોરી પણ ભગવાનની થીમ પર હતી. ‘OMG’અને ‘pk’ બન્નેની થીમ લગભગ સરખી છે, પરંતુ આમિર ખાનના જણાવ્યા પ્રમાણે ‘pk’ સાવ વેગળી વિષયવસ્તુ પર તૈયાર કરાઈ છે. ‘OMG’ સાથે થઈ રહેલી સરખામણી વિશે આમિર ખાને કહ્યું હતું કે ‘મને લાગે છે કે બન્ને ફિલ્મની થીમ સરખી હોય તો પણ પ્લૉટ અલગ છે. ‘pk’ના પ્લૉટ પ્રમાણે એક એલિયન (પરગ્રહવાસી) ધરતી પર આવી ચડે છે અને તેને ધરતીની કોઈ જ વાતમાં કંઈ રસ નથી. તેને કોઈ થીમમાં પણ જરાય રસ નથી. તેને માત્ર પોતાનો રિમોટ પાછો મેળવવો છે, જેથી તે પરત પોતાના ઘરે જઈ શકે. આ ફિલ્મની વાર્તા, પાત્રો અને પરિસ્થિતિઓ તદ્દન અલગ અને બેજોડ છે.’