આ અભિનેત્રી પાસેથી યશરાજના કાસ્ટિંગ ડિરેક્ટરે મળવાના લીધા હતા 5,000રૂ
પાયલ રોહતગી, સુશાંત સિંહ રાજપુત
અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ બાદ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ ફરી એકવાર જોર પકડયું છે. અભિનેતાની આત્મહત્યા બાદ અનેક મોટા ફિલ્મમેકર્સ અને પ્રોડક્શન હાઉસ પર સગાવાદના આરોપ લગાડવામાં અવી રહ્યાં છે. એટલું જ નહીં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ કેટલાક લોકો આગળ આવીને પોતાની આપવીતિ શૅર કરી રહ્યાં છે. તાજેતરમાં જ અભિનેત્રી પાયલ રોહતગીએ ખુલાસો કર્યો છે કે, કઈ રીતે યશરાજ ફિલ્મસના કાસ્ટિંગ ડિરેક્ટરે માત્ર મળવાના 5,000 રૂપિયા લીધા હતા.
પાયલ રોહતગીએ સોશ્યલ મીડિયા પર વીડિયો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેમાં જણાવ્યું છે કે, જ્યારે હું નાની ફિલ્મોમાંથી મોટી ફિલ્મોમાં જવાની કોશિશ કરતી હતી ત્યારે યશરાજ ફિલ્મસના કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માએ મને મળવાની ના પાડી દીધી. જ્યારે મેં ઘણી વિનંતી કરી ત્યારે શાનુએ માત્ર મળવા અને ફોટો જોવા માટેના 5000 રૂપિયા માગ્યા હતા. જ્યારે આ કાસ્ટિંગ એજન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલા લોકો સાથે આવું કરી શકે છે તો ખબર નહીં આ ન્યૂકમર્સ સાથે શું કરતા હશે.
ADVERTISEMENT
Ram Ram ji ? Sharing my #Personal experience of how #YashRaj casting director #shanoosharma charged me 5000 rupees for wanting to meet in person to share my photos & to work with the banner. Imagine what they must be doing in their #Talentagency to newcomers ? #BollywoodMAFIA pic.twitter.com/v0tNDfXAdS
— PAYAL ROHATGI & Team- Bhagwan Ram Bhakts (@Payal_Rohatgi) July 4, 2020
તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ પોલીસે યશરાજ પ્રોડક્શનને પણ તપાસમાં સામેલ કરેલ છે. પોલીસે સુશાંત સાથેના ફિલ્મના કોન્ટ્રાક્ટની કોપી મંગાવી હતી, જે પ્રોડક્શન હાઉસે જમા કરાવી દીધી હતી. ઉપરાંત કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. યશરાજ બેનર હેઠળ બનેલ સુશાંત સ્ટારર ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ' અને 'બ્યોમકેશ બક્ષી' ફિલ્મનો કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ જ હતો.