અનુરાગ કશ્યપ અંગે ઈરફાન પઠાનને જણાવ્યું હોવાનો પાયલ ઘોષનો દાવો
ઈરફાન પઠાન, પાયલ ઘોષ, અનુરાગ કશ્યપ
બૉલીવુડ અભિનેત્રી પાયલ ઘોષ (Payal Gosh)એ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો છે. તે સોશ્યલ મીડિયામાં સતત ફિલ્મમેકર વિરુદ્ધ ટ્વીટ કરતી રહે છે. હવે પાયલ ઘોષે એક નવો જ દાવો કર્યો છે. પાયલે હવે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ (Irfan Pathan)ના નામનો ઉલ્લેખ કર્યો છે. પાયલના મતે તેણે અનુરાગ સાથે થયેલા વિવાદની વાત ઈરફાન પઠાણને કરી હતી.
પાયલ ઘોષે તાજેતરમાં ટ્વીટ કર્યું હતું કે, 'મેં ઈરફાન ખાનને એમ નહોતું કહ્યું કે અનુરાગ કશ્યપે મારી પર રેપ કર્યો હતો, પરંતુ તેની સાથે થયેલી વાતચીત અંગે બધું જણાવ્યું હતું. તેને બધી જ ખબર છે પરંતુ તે અત્યારે કંઈ જ બોલતો નથી. તે મારો સારો મિત્ર હોવાનો દાવો કરે છે.'
ADVERTISEMENT
I have definitely not talked about mr. kashyap raped me but I shared everything with @IrfanPathan about the conversations including (xyz) alas!! he is keeping mum inspite of knowing everything and once he claimed to be my good friend.
— Payal Ghosh (@iampayalghosh) October 17, 2020
અન્ય એક ટ્વીટમાં પાયલે કહ્યું હતું કે, 'ઈરફાન પઠાણને ટૅગ કરવાનો અર્થ એ નથી કે મને તેનામાં રસ છે, પરંતુ મેં તેની સાથે દરેક વાતો શૅર કરી હતી. રેપવાળી વાત શૅર કરી નથી. મને વિશ્વાસ છે કે મેં તેને જે પણ વાત કહી છે, તે બધાને કહેશે.'
The point of tagging @IrfanPathan doesn’t mean I have any interest in him but he’s the one I have shared everything about Mr. Kashyap but not d rape thing.. I know he believe in his faith and his elderly parents so I expect him to talk about whatever I shared wd him. pic.twitter.com/hMwNklY4r9
— Payal Ghosh (@iampayalghosh) October 17, 2020
વધુ એક ટ્વીટમાં અભિનેત્રિએ લખ્યું છે કે, 'અમે ખાલી સારા મિત્રો જ નથી પણ હું તેની ફેમેલી ફ્રેન્ડ પણ હતી. જોઈએ હવે, દોસ્તી કોણ નિભાવે છે.'
Not only we were good friends but I was his family friend. Let’s see dosti kaun kaun nibhate hai!! https://t.co/m7jZD9315V
— Payal Ghosh (@iampayalghosh) October 18, 2020
પાયલે વર્ષ 2014નો એક કિસ્સો યાદ કરીને કહ્યું હતું, '2014માં હોળીના એક દિવસ પહેલા અનુરાગ કશ્યપે મને એક મેસેજ કર્યો હતો. તે ઈચ્છતો હતો કે હું તેને મળવા આવું. તે સમયે ઈરફાન મારા ઘરમાં જ હતો અને તેની સામે જ મેસેજ આવ્યો હતો. જોકે, મેં ઈરફાનને એમ કહ્યું હતું કે હું વિનીત જૈનના ઘરે જાઉં છું, અનુરાગના નહીં. આશા છે કે તેને આ બધું યાદ હશે.'
2014 a day prior to Holi AK msg me ,was asking me 2 b 2his place dt time @IrfanPathan was at my home only,d msg came infront of him & I told him I’m going to go 2 @vineetjaintimes ‘s party but not 2 mr. Kashyap’s house. Hope he remembers.!! https://t.co/m7jZD8Lqen
— Payal Ghosh (@iampayalghosh) October 17, 2020
પાયલે 22 સપ્ટેમ્બરના રોજ વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ કર્યો હતો. અભિનેત્રીનો આક્ષેપ હતો કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના એક લોકેશનમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. અનુરાગ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મ, ખોટો વ્યવહાર, ખોટા ઈરાદાને રોકવા તથા મહિલાનું અપમાન કરવાની કલમો હેઠળ કેસ કર્યો હતો. જોકે, પોલીસ પૂછપરછ દરમિયાન ફિલ્મમેકરે આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા.