Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો, ફિલ્મમેકરે કહ્યું આ

પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો, ફિલ્મમેકરે કહ્યું આ

20 September, 2020 11:42 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો, ફિલ્મમેકરે કહ્યું આ

અનુરાગ કશ્યપ, પાયલ ઘોષ

અનુરાગ કશ્યપ, પાયલ ઘોષ


બૉલીવુડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) સોશ્યલ મીડિયામાં પોતાના નિવેદનો આપવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, આજકલ તેઓ અલગ કારણસર ચર્ચામાં રહે છે. અનુરાગ કશ્યપ પર અભિનેત્રી પાયલ ઘોષ (Payal Gosh)એ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ કારણે તેઓ હાલ ચર્ચામાં છે. હવે ફિલ્મમેકરે આખરે ચુપકીદી તોડી છે અને પલટવાર કર્યો છે. અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને ટેગ કરતા ન્યાયની માંગણી કરી હતી. જ્યારે ફિલ્મમેકરે આ આરોપને પાયાવિહોણો ગણાવ્યો છે.

પાયલ ઘોષે ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'અનુરાગ કશ્યપે મારી સાથે બળજબરી કરી હતી અને ઘણી ખરાબ વર્તુણક કરી હતી.. નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસને. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ કરો.'




પોતાના ટ્વિટ સાથે અભિનેત્રીએ એક તેલુગુ ન્યૂઝ ચેનલની લિંક પણ શૅર કરી છે. આ ચેનલ પર પાયલનો એક વીડિયો ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં પાયલ અંગ્રેજીમાં વાત કરતા અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવી રહી છે. તે એમ પણ કહી રહી છે કે, અનુરાગે તેની સાથે ઘણી ખરાબ વાતો કરી હતી. જેના પર પાયલે જવાબ આપતા કહ્યું હતું કે, હું આવી વાતોથી અસહજ અનુભવી રહી છું.


અભિનેત્રીના આત્રેપ કાર્ય બાદ મોડી રાતે ફિલ્મમેકરે તેને વળતો જવાબ આપ્યો હતો અને આ બધા આરોપો પાયાવિહોણા ગણાવ્યા હતા. અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું કે, શું વાત છે, 'મને ચૂપ કરાવવામાં ઘણો ચમય લાગ્યો. મને ચૂપ કરાવવામાં એટલું ખોટું બોલ્યા કે એક મહિલા હોબાની સાથે અન્ય મહિલાઓને પણ સાથે ખેંચી લીધી. થોડું નમ્ર બનો, મેડમ. ફક્ત એટલું જ કહીશ કે તેમના બધા આરોપો પાયાવિહોણા છે. બાકી મારા પર આરોપ લગાવતા, મારા કલાકારો અને બચ્ચન પરિવારને એક સાથે ખેંચીને ચૌકો પણ ન મારી શક્યા. મે બે લગ્ન કર્યા છે, જો એ ગુનો છે તો સવીકાર્ય છે અને બહુ પ્રેમ કર્યો એ પણ હું કબુલુ છું. મારી પ્રથમ પત્ની હોય કે બીજી પત્ની અથવા તો કોઈ પ્રેમિકા અથવા ઘણી બધી અભિનેત્રીઓ કે જેની સાથે મેં કામ કર્યું છે, અથવા આખી છોકરીઓ અને મહિલા ટીમ કે જેમણે હંમેશાં મારી સાથે કામ કર્યું છે, અથવા બધી મહિલાઓ કે જેને હું મળ્યો છું, એકલામાં કે જાહેરમાં આવું વર્તન કરું જ નહીં અને કોઈપણ કિંમતે આ સહન પણ ન કરું. બાકી જે થાય તે જોયુ જશે. તમારા વીડિયોમાં જ દેખાય છે કે કેટલીક સચ્ચાઈ છે, બાકી પ્રેમ અને આર્શિવાદ. તમારા અંગ્રેજીનો હિન્દીમાં જવાબ આપવા બદલ માફ કરશો.'

ફિલ્મમેકરે ચાર ટ્વીટ કરીને પોતાનો પક્ષ રજુ કર્યો હતો. જ્યારે અભિનેત્રીના ટ્વીટ બાદ અનેક લોકો તરફથી પ્રતિક્રિયા આવી છે. અભિનેત્રી કંગના રનોટે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કર્યું છે કે, 'અનુરાગ કશ્યપની ધરપકડ કરવામાં આવે.'

પાયલ ઘોષે યૌન શોષણની વાત કરતા બૉલીવુડ પર ફરી સવાલો ઉભા થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK