પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો, ફિલ્મમેકરે કહ્યું આ
અનુરાગ કશ્યપ, પાયલ ઘોષ
બૉલીવુડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) સોશ્યલ મીડિયામાં પોતાના નિવેદનો આપવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જોકે, આજકલ તેઓ અલગ કારણસર ચર્ચામાં રહે છે. અનુરાગ કશ્યપ પર અભિનેત્રી પાયલ ઘોષ (Payal Gosh)એ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ કારણે તેઓ હાલ ચર્ચામાં છે. હવે ફિલ્મમેકરે આખરે ચુપકીદી તોડી છે અને પલટવાર કર્યો છે. અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને ટેગ કરતા ન્યાયની માંગણી કરી હતી. જ્યારે ફિલ્મમેકરે આ આરોપને પાયાવિહોણો ગણાવ્યો છે.
પાયલ ઘોષે ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'અનુરાગ કશ્યપે મારી સાથે બળજબરી કરી હતી અને ઘણી ખરાબ વર્તુણક કરી હતી.. નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસને. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ કરો.'
ADVERTISEMENT
@anuragkashyap72 has forced himself on me and extremely badly. @PMOIndia @narendramodi ji, kindly take action and let the country see the demon behind this creative guy. I am aware that it can harm me and my security is at risk. Pls help! https://t.co/1q6BYsZpyx
— Payal Ghosh (@iampayalghosh) September 19, 2020
પોતાના ટ્વિટ સાથે અભિનેત્રીએ એક તેલુગુ ન્યૂઝ ચેનલની લિંક પણ શૅર કરી છે. આ ચેનલ પર પાયલનો એક વીડિયો ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં પાયલ અંગ્રેજીમાં વાત કરતા અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવી રહી છે. તે એમ પણ કહી રહી છે કે, અનુરાગે તેની સાથે ઘણી ખરાબ વાતો કરી હતી. જેના પર પાયલે જવાબ આપતા કહ્યું હતું કે, હું આવી વાતોથી અસહજ અનુભવી રહી છું.
અભિનેત્રીના આત્રેપ કાર્ય બાદ મોડી રાતે ફિલ્મમેકરે તેને વળતો જવાબ આપ્યો હતો અને આ બધા આરોપો પાયાવિહોણા ગણાવ્યા હતા. અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું કે, શું વાત છે, 'મને ચૂપ કરાવવામાં ઘણો ચમય લાગ્યો. મને ચૂપ કરાવવામાં એટલું ખોટું બોલ્યા કે એક મહિલા હોબાની સાથે અન્ય મહિલાઓને પણ સાથે ખેંચી લીધી. થોડું નમ્ર બનો, મેડમ. ફક્ત એટલું જ કહીશ કે તેમના બધા આરોપો પાયાવિહોણા છે. બાકી મારા પર આરોપ લગાવતા, મારા કલાકારો અને બચ્ચન પરિવારને એક સાથે ખેંચીને ચૌકો પણ ન મારી શક્યા. મે બે લગ્ન કર્યા છે, જો એ ગુનો છે તો સવીકાર્ય છે અને બહુ પ્રેમ કર્યો એ પણ હું કબુલુ છું. મારી પ્રથમ પત્ની હોય કે બીજી પત્ની અથવા તો કોઈ પ્રેમિકા અથવા ઘણી બધી અભિનેત્રીઓ કે જેની સાથે મેં કામ કર્યું છે, અથવા આખી છોકરીઓ અને મહિલા ટીમ કે જેમણે હંમેશાં મારી સાથે કામ કર્યું છે, અથવા બધી મહિલાઓ કે જેને હું મળ્યો છું, એકલામાં કે જાહેરમાં આવું વર્તન કરું જ નહીં અને કોઈપણ કિંમતે આ સહન પણ ન કરું. બાકી જે થાય તે જોયુ જશે. તમારા વીડિયોમાં જ દેખાય છે કે કેટલીક સચ્ચાઈ છે, બાકી પ્રેમ અને આર્શિવાદ. તમારા અંગ્રેજીનો હિન્દીમાં જવાબ આપવા બદલ માફ કરશો.'
बाक़ी मुझपे आरोप लगाते लगाते, मेरे कलाकारों और बच्चन परिवार को संग में घसीटना तो मतलब नहले पे चौका भी नहीं मार पाए।मैडम दो शादियाँ की हैं,अगर वो जुर्म है तो मंज़ूर है और बहुत प्रेम किया है , वो भी क़बूलता हूँ । चाहे मेरी पहली पत्नी हों, या दूसरी पत्नी हों या २/४
— Anurag Kashyap (@anuragkashyap72) September 19, 2020
मैं इस तरह का व्यवहार ना तो कभी करता हूँ ना तो कभी किसी क़ीमत पे बर्दाश्त करता हूँ । बाक़ी जो भी होता है देखते हैं । आपके विडीओ में ही दिख जाता है कितना सच है कितना नहीं , बाक़ी आपको बस दुआ और प्यार ।आपकी अंग्रेज़ी का जवाब हिंदी में देने के लिए माफ़ी ।
— Anurag Kashyap (@anuragkashyap72) September 19, 2020
ફિલ્મમેકરે ચાર ટ્વીટ કરીને પોતાનો પક્ષ રજુ કર્યો હતો. જ્યારે અભિનેત્રીના ટ્વીટ બાદ અનેક લોકો તરફથી પ્રતિક્રિયા આવી છે. અભિનેત્રી કંગના રનોટે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કર્યું છે કે, 'અનુરાગ કશ્યપની ધરપકડ કરવામાં આવે.'
Every voice matters #MeToo #ArrestAnuragKashyap https://t.co/Pv1kGZIRr6
— Kangana Ranaut (@KanganaTeam) September 19, 2020
પાયલ ઘોષે યૌન શોષણની વાત કરતા બૉલીવુડ પર ફરી સવાલો ઉભા થયા છે.