આલિયા ભટ્ટ સાથે 'ગંગુબાઈ' દ્વારા પાર્થ સમથાન કરશે બૉલીવુડમાં એન્ટ્રી?
આલિયા ભટ્ટ, પાર્થ સમથાન
પાર્થ સમથાન ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે. તે હાલમાં એકતા કપૂરના શો ‘કસૌટી ઝિંદગી કી 2’માં અનુરાગનું પાત્ર ભજવી રહ્યો છે. જોકે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ સિરિયલ પણ બંધ થવાની છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ માટે જ તેણે આ સિરિયલ છોડવાનું નક્કી કર્યું છે. જોકે પાર્થની બૉલીવુડની એન્ટ્રીને લઈને હજી સુધી કોઈ ઑફિશ્યલ જાહેરાત કરવામાં નથી આવી.