પાગલપંતીમાં નીરવ મોદી અને વિજય માલ્યાનો છે ઉલ્લેખ, નિર્દેશકે કહીં આ વાત
ફિલ્મ 'પાગલપંતી'માં નીરવ મોદી અને વિજય માલ્યાનો છે ઉલ્લેખ
ફિલ્મ પાગલપંતીમાં કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા અને નીરવ મોદીના ઉલ્લેખ જોવા મળશે આ વાત ફિલ્મના નિર્દેશક અનીસ બાઝમીએ કહીં છે.
ADVERTISEMENT
આ વિશે જણાવતા અનીસ બાઝમીએ કહ્યું એક ઈન્ટવ્યૂમાં જણાવ્યું કે આમ તો ઘણા લોકો દેશ છોડીને ભાગી ગયા છે. એટલે અમે એમના વિશે એક સંકેત આપ્યો છે જેમા લોકોને ફિલ્મ જોઈને વિજય માલ્યા અને નીરવ મોદીની યાદ તો જરૂર આવશે.
આ વિશે આગળ વાત કરતા અનીસ બાઝમી કહે છે, આ એક ઘણો મોટો પડકાર હતો. દેશભક્તિ એક ગંભીર વિષય છે. જ્યારે મારી ફિલ્મની શૈલી આના વિરૂદ્ધ છે. આ ફિલ્મને બનાવવામાં મને ઘણો સમય લાગી ગયો. આ ફિલ્મનો સૌથી મહત્વપૂર્ણ સીન છે જે દરેક ભારતીયના રૂંવાટા ઊભા કરી દેશે. સાથે જ તમને હંસાવશે પણ. આ એક અલગ જ સીન છે. મને નથી લાગતું કે કોઈ અન્ય ફિલ્મમાં આવો સીન આવ્યો હોય.
આ પણ જુઓ : બર્થ-ડે પર દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ, જુઓ
આ ફિલ્મમાં જૉન અબ્રાહમની પણ મહત્વની ભૂમિકા છે
કૉમેડી ફિલ્મ બનાવવાના વિશે વાત કરતા અનીસે હાલમાં જ IANSથી કહ્યું કે, હું ઈચ્છું છું કે મારી ફિલ્મોમાં લોકો ખૂબ હસે અને ખુશ રહે. જીવન નાનું છે. જ્યારે તમે તમારા વૃદ્ધાવસ્થામાં પાછળ જુઓ, તો તમે વધારે ખુશીના ક્ષણને યાદ કરશો. આજે લોકો ઘણાં તાણમાં છે, તે કારર્કિદીમાં હોય, આવકનો સ્ત્રોત હોય, બાળકોનું ભણતર હોય કે લગ્નની વાત. ચિંતાના કેટલા કારણ છે કે લોકો ધીરે-ધીરે હસવાનું ભૂલી રહ્યા છે. હું પોતાની ફિલ્મો દ્વારા લોકોને ખુશીના પળ આપવા માંગુ છું. મારૂં માનવું છે કે જ્યારે પણ કોઈપણ વ્યક્તિ ઉદાસ મૂડમાં હોય છે તો મારી ફિલ્મને જોઈને એને ખુશીનો અનુભવ થવો જોઈએ.