અનએક્સ્પેક્ટેડ વસ્તુ કરવી મને પસંદ છે : નુશરત ભરૂચા
નુશરત ભરૂચા
નુશરત ભરૂચાનું કહેવું છે કે તેને થોડી અડવિતરી ફિલ્મોમાં કામ કરવું પસંદ છે. ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનું કે ટીટૂ કી સ્વીટી’માં તેની એન્ટ્રીથી કહાનીમાં ટ્વિસ્ટ આવી જતો હતો. આ વિશે પૂછતાં નુશરતે કહ્યું હતું કે ‘મેં મારી મોટા ભાગની ફિલ્મોમાં ગર્લ-નેક્સટ-ડૉરની ભૂમિકા ભજવી છે, પરંતુ એ પણ એક સેટ-અપ જેવી હતી. આ ફિલ્મોમાં તે સીધી-સાદી લાગે છે, પરંતુ તે તમારી જ પીઢ પર ચપ્પુ મારે એવી છે.
આ પણ વાંચો : શાહરુખે ધ લાયન કિંગ કેમ 40 વખત જોઈ?
ADVERTISEMENT
મારું દરેક પાત્ર થોડું સ્પાઇસી હતું. મને અનએસ્પેક્ટેડ ફિલ્મો કરવાની પસંદ છે. કોઈ પણ સ્ટોરીને વાંચીને હું અચંબામાં પડી જાઉં એવી ફિલ્મો મને કરવી પસંદ છે.’