'કુમકુમ ભાગ્ય'માં કેરોસીન અને આગ ઉમેરવાનું કામ કરશે હવે આ નવી આલિયા
ઝીટીવીના સુપરહિટ શો ‘કુમકુમ ભાગ્ય’ને નવેસરથી ઑડિયન્સમાં એસ્ટૅબ્લિશ કરવા માટે એક મોટો ચેન્જ કરવામાં આવ્યો છે અને આલિયાનું જે કૅરૅક્ટર શિખા સિંહ કરતી હતી એની જગ્યાએ હવે રેહાના પંડિતને લાવવામાં આવી છે. આલિયા શોમાં અભી એટલે કે શબ્બીર અહલુવાલિયાની બહેનનું કૅરૅક્ટર કરે છે. રેહાનાએ કહ્યું કે ‘આલિયાના કૅરૅક્ટરમાં ઘણા શેડ્સ છે, મેં ઑલરેડી શૂટિંગ શરૂ કરી દીધું છે. મારું પહેલું ફોકસ એ છે કે સ્ક્રીન પર ઑડિયન્સ મને જ્યારે જુએ ત્યારે તેને એ બિચારી લાગે અને એ બિચારાપણાની સાથોસાથ તેમને આલિયા પર ગુસ્સો પણ અતિશય આવે.’
આલિયા શોના કૅરૅક્ટર રણબીર એટલે કે ક્રિષ્ના કૌલ અને પ્રાચી એટલે કે મુગ્ધા ચાપેકરની લાઇફમાં બનનારી દરેક ઘટનામાં બહુ મહત્ત્વપૂર્ણ કૅરૅક્ટર બનશે. આલિયા આ બન્નેની લવસ્ટોરીમાં આગ અને કેરોસીન બન્ને ઉમેરવાનું કામ કરશે.