લૉકડાઉને દિવ્યેન્દુ શર્માને શું શીખવ્યું?
દિવ્યેન્દુ શર્મા
ઍમેઝૉન પ્રાઇમ પર ‘મિર્ઝાપુર’ની સેકન્ડ સીઝન અને બાલાજીના ડિજિટલ પ્લૅટફૉર્મની ‘બિચ્છુ કા ખેલ’ એમ એક વર્ષમાં બે સુપરહિટ વેબ-સિરીઝ આપનાર સ્ટાર દિવ્યેન્દુ શર્મા આ લૉકડાઉનમાં એક બહુ મહત્ત્વની વાત શીખ્યો. દિવ્યેન્દુ કહે છે, ‘આ વર્ષે મને સમજાવ્યું કે પ્રાયોરિટીનું એક લિસ્ટ બનાવો અને એમાં પહેલા નંબરે પોતાનું નામ લખો. લૉકડાઉન સમયે મને હતું કે હું કેવી રીતે ઘરમાં રહી શકીશ, પણ જેમ-જેમ સમય પસાર થતો ગયો એમ-એમ મને સમજાયું કે હું રીતસર ભાગતો હતો, મારે માટે હું જીવતો નહોતો. મારા શોખ, મારી ફૅમિલી અને એવી બીજી અનેક બાબતો હતી જે હું લગભગ ભૂલી ગયો હતો, પણ લૉકડાઉનમાં એ બધું ફરી તાજું થયું. હવે મેં નક્કી કર્યું છે કે કામને પ્રાધાન્ય આપીને પણ જાતને ભૂલવાની નહીં, ફૅમિલીને ભૂલવાનું નહીં.’
દિવ્યેન્દુ શર્માની આવતા વર્ષે પણ બે વેબ-સિરીઝ રિલીઝ થશે તો ૨૦૨૧માં તે એક ફિલ્મમાં પણ જોવા મળશે. દિવ્યેન્દુ કહે છે, ‘એ પછી પણ હું મારા માટે અને મારી ફૅમિલી માટે પણ એટલો જ સમય કાઢી લેવાનો છું એ પણ નક્કી છે.’