મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે : સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂતનું માનવું છે કે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે. ધોની ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લઈ લે એવી અટકળો વહેતી થઈ હતી. ધોનીના જીવન પર બનેલી બાયોપિકમાં સુશાંત સિંહે તેનું પાત્ર ભજવ્યું હતું. ધોનીની પ્રશંસા કરતાં સુશાંત સિંહે કહ્યું હતું કે ‘મેં તેમના જીવન પર બનેલી ફિલ્મમાં કામ કર્યું એ પહેલાંથી જ હું તેમનો મોટો ફૅન રહ્યો છું. મારા માટે તો તેમના સિવાય કોઈ સારો બૅટ્સમૅન નથી. આપણે જ્યારે લીડરશિપની ક્વૉલિટી વિશે વાંચીએ છીએ ત્યારે એ તમામ ક્વૉલિટી મને તેમનામાં દેખાય છે. તેમને કોઈ જજ ન કરી શકે. તેમનાથી સારું તો કોઈ રમી જ ન શકે.’