મૂવી સ્ટાર્સની સિરિયસ સ્પીચને કોઈ સિરિયસલી નથી લેતું : શાહરુખ ખાન
શાહરૂખ ખાન
શાહરુખ ખાને ૨૫માં કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જણાવ્યું હતું કે ફિલ્મ સ્ટાર્સની ગંભીર વાતને કોઈ ગંભીરતાથી નથી લેતું. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન તેનાં હાથે કરવામાં આવ્યુ હતું. છેલ્લા દસ વર્ષથી શાહરુખ આ ફેસ્ટિવલમાં હાજરી આપતો આવ્યો છે. આ ફેસ્ટિવલમાં સ્પીચ આપતા શાહરુખે કહ્યું હતું કે ‘હું જાણું છું, હું જાણું છું કે મુવી સ્ટાર્સની સિરીયસ વાતને કોઈ સિરીયસલી નથી લેતું. છેવટે તો હું માત્ર એક ગુડ લુકિંગ ચહેરો છું. મારી હાજરી વ્યર્થ ગણાય જો હું કોઈ ડાયલૉગ ના બોલું તો.’
‘રઇસ’નાં ડાયલૉગ દ્વારા આ ફેસ્ટિવલની પ્રશંસા કરતા શાહરુખે કહ્યું હતું કે ‘અમ્મીજાન કહેતી થી કી કોઈ ફિલ્મ ફેસ્ટિવલ છોટા યા બડા નહીં હોતા. લેકિન KIFF (કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ) સે સુંદર તો કોઈ ભી દૂસરા ફેસ્ટિવલ નહીં હોતા.’