સફળતાને મારા દિમાગ પર હાવી થવા નથી દેતો: મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈનું માનવું છે કે તે સફળતાને પોતાના દિમાગ પર હાવી નથી થવા દેતો. તેને તાજેતરમાં જ પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. પોતાને મળેલા આ સન્માન પર મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘હું પદ્મશ્રી મનોજ બાજપાઈ નથી. હું ફક્ત મનોજ બાજપાઈ છું જે બહારથી આવ્યો હતો, જેણે મોટાં સપનાં જોઈને એને પૂરાં કરવા માટે મુંબઈમાં રહીને દિવસ-રાત મહેનત કરી હતી. હિન્દી સિનેમામાં મારા યોગદાનના કારણે મને પદ્મશ્રી અવૉર્ડથી નવાજવામાં આવ્યો છે. આ સન્માન મળવાથી હું ખુશ છું. જોકે એનો અર્થ એ નથી થતો કે હું માત્ર એને જ વળગીને રહું.
આ પણ વાંચો: 'યે જવાની' રીમિક્સના કારણે ઓરિજિનલ ગીત નેટ પર શોધાય છે : રણધીર કપૂર
ADVERTISEMENT
જીવનમાં આગળ વધવું ખૂબ જરૂરી છે. હું સફળતાને મારા દિમાગ પર હાવી નથી થવા દેતો. આ અવૉર્ડથી હું વધુ મહેનત કરવા માટે પ્રેરિત થાઉં છું. હજી ઘણુંબધું કરવાનું છે. હું હજી પણ ઘણીબધી વસ્તુઓને એક્સ્પ્લોર કરી રહ્યો છું.’