Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સફળતાને મારા દિમાગ પર હાવી થવા નથી દેતો: મનોજ બાજપાઈ

સફળતાને મારા દિમાગ પર હાવી થવા નથી દેતો: મનોજ બાજપાઈ

24 April, 2019 10:30 AM IST |

સફળતાને મારા દિમાગ પર હાવી થવા નથી દેતો: મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ


મનોજ બાજપાઈનું માનવું છે કે તે સફળતાને પોતાના દિમાગ પર હાવી નથી થવા દેતો. તેને તાજેતરમાં જ પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. પોતાને મળેલા આ સન્માન પર મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘હું પદ્મશ્રી મનોજ બાજપાઈ નથી. હું ફક્ત મનોજ બાજપાઈ છું જે બહારથી આવ્યો હતો, જેણે મોટાં સપનાં જોઈને એને પૂરાં કરવા માટે મુંબઈમાં રહીને દિવસ-રાત મહેનત કરી હતી. હિન્દી સિનેમામાં મારા યોગદાનના કારણે મને પદ્મશ્રી અવૉર્ડથી નવાજવામાં આવ્યો છે. આ સન્માન મળવાથી હું ખુશ છું. જોકે એનો અર્થ એ નથી થતો કે હું માત્ર એને જ વળગીને રહું.

આ પણ વાંચો: 'યે જવાની' રીમિક્સના કારણે ઓરિજિનલ ગીત નેટ પર શોધાય છે : રણધીર કપૂર



જીવનમાં આગળ વધવું ખૂબ જરૂરી છે. હું સફળતાને મારા દિમાગ પર હાવી નથી થવા દેતો. આ અવૉર્ડથી હું વધુ મહેનત કરવા માટે પ્રેરિત થાઉં છું. હજી ઘણુંબધું કરવાનું છે. હું હજી પણ ઘણીબધી વસ્તુઓને એક્સ્પ્લોર કરી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2019 10:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK