Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતની છેલ્લી ફિલ્મ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ કરી વિશેષ અપીલ

સુશાંતની છેલ્લી ફિલ્મ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ કરી વિશેષ અપીલ

26 July, 2020 05:44 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંતની છેલ્લી ફિલ્મ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ કરી વિશેષ અપીલ

નવાઝુદ્દીન સિદ્દીકી, 'દિલ બેચારા' ફિલ્મનો સીન

નવાઝુદ્દીન સિદ્દીકી, 'દિલ બેચારા' ફિલ્મનો સીન


અભિનેતના સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' 24 જૂલાઈના રોજ ડિઝનીપ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. ચારેય તરફ ફિલ્મની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddqui)એ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મને લઈને ફિલ્મ ક્રિટિક્સને વિશેષ અપીલ કરી છે.

નવાઝુદ્દીન સિદ્દીકીએ ટ્વીટ કરી ને કહ્યું હતું કે, 'હું તમામ સન્માનિત ફિલ્મ ક્રિટિક્સને અપીલ કરું છું કે કૃપા કરીને 'દિલ બેચારા'ને અપવાદ બનાવો. આ ફિલ્મને સુશાંત સિંહ રાજપૂત માટે ટ્રિબ્યૂટ તરીકે જુઓ અને સાથે તેને સેલિબ્રેટ કરો.'




અભિનેતાની પોસ્ટ અને અપીલને ફોલોઅર્સે પણ સપોર્ટ કર્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીનના આ ટ્વિટ પર ઝડપથી પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. આ પહેલાં તેણે તેનાં મીડિયા સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'દિલ બેચારા'નું પ્રમોશન પણ કર્યુ હતું.


આ પણ વાંચો: 'દિલ બેચારા' જોઈને ક્રિતી સૅનને કહ્યું, મારું હૃદય તુટી ગયું

નોંધનીય છે કે, નવાઝુદ્દીન સિદ્દીકી અત્યારે 31 જૂલાઈએ નેટફિલ્કસ પર રિલીઝ થનારી 'રાત અકેલી હૈ'ના સોશ્યલ મીડિયા પરમોશનમાં વ્યસ્ત છે.

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK