કપિલના શૉથી દૂર થતાં બદલાયા સિદ્ધુના સૂર, સર્જિકલ સ્ટ્રાઇકને આવકારી
ફાઇલ ફોટો
પુલવામા આતંકી હુમલા પછી પોતાના એક નિવેદનને લઈને નિશાન બનેલા પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોતસિંહ સિદ્ધુએ ભારતીય એરફોર્સની એર સ્ટ્રાઇકનું સ્વાગત કર્યું છે. સિદ્ધૂએ પોતાના ખાસ અંદાજમાં વાયુસેનાની કાર્યવાહીનું સ્વાગત કરીને ખુશી જાહેર કરી છે.
ADVERTISEMENT
लोहा लोहे को काटता है,
— Navjot Singh Sidhu (@sherryontopp) February 26, 2019
आग आग को काटती है,
सांप जब डंक मारता है, उसका एंटीडोट विष ही है,
आतंकियों का विनाश अनिवार्य है|
भारतीय वायु सेना की जय हो @IAF_MCC
जय हिन्द ?? जय हिन्द की सेना ??
સોમવારે રાતે ભારતીય વાયુસેનાના મિરાજ લડાયક વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સૌથી જૂના કેમ્પનો ખાત્મો કરી નાખ્યો છે. આ એર સ્ટ્રાઇકમાં આશરે 300 જેટલા આતંકીઓ ઠાર મારવામાં આવ્યા છે. દેશભરમાં પુલવામા આતંકી હુમલાની આ જવાબી કાર્યવાહી પર ખુશી મનાવવામાં આવી રહી છે.
બોલિવુડ અને મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પણ ભારતીય વાયુસેનાની આ બહાદુરીને સલામ કરી રહ્યા છે. એવામાં ધ કપિલ શર્મા શૉમાંથી બહાર કાઢી મૂકાયેલા નવજોતસિંહ સિદ્ધૂએ એક કવિતા દ્વારા આ કાર્યવાહી પર ખુશી વ્યક્ત કરી છે અને ભારતીય વાયુસેનાની જય બોલાવી છે.
In the war of right & wrong,
— Navjot Singh Sidhu (@sherryontopp) February 26, 2019
You can not afford to be neutral,
The war against terror outfits is spot on...
Bravo Indian Air Force @IAF_MCC
Jai Hind ??
આ પહેલા સિદ્ધુએ અન્ય એક ટ્વિટમાં લખ્યું હતું કે સાચા અને ખોટાની લડાઈમાં તમે ઉદાસીન ન રહી શકો. આતંકવાદ વિરુદ્ધ જંગ જરૂરી છે. શાબાશ, ભારતીય વાયુસેના. જય હિંદ.