આજે સલમાનની બહેનના રિસેપ્શનમાં મોદી આવશે?
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અર્પિતા-આયુષ શર્માનાં મૅરેજ બાદના ખાનપરિવારના આ રિસેપ્શનમાં સલમાન, શાહરુખ અને આમિર એમ બૉલીવુડની વિખ્યાત ખાન ત્રિપુટી એક મંચ પર જોવા મળશે.
આ રિસેપ્શનમાં શાહરુખ અને આમિર સજોડે આવશે. હૈદરાબાદમાં લગ્ન વખતે પણ આમિરે અર્પિતાના મોટા ભાઈ તરીકેની કેટલીયે જવાબદારીઓ ઉઠાવી હતી. આ લગ્ન વખતે થયેલા પ્રોગ્રામમાં આમિરે ગીતો ગાયાં હતાં, નાચ્યો હતો અને છેલ્લે સુધી સ્ટેજ પર હાજર રહ્યો હતો.
જોકે આ રિસેપ્શનમાં રિશી અને રણબીર કપૂર તેમ જ બચ્ચનપરિવાર સ્વાભાવિક કારણોસર જોવા નહીં મળે.
સલમાન ખાને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને પણ હૈદરાબાદમાં અર્પિતાનાં લગ્ન અને મુંબઈમાં રિસેપ્શનમાં હાજર રહેવાનું આગ્રહભર્યું નિમંત્રણ આપ્યું છે.