Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પૌરાણિક સિરિયલમાં કામ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે : હિમાંશુ સોની

પૌરાણિક સિરિયલમાં કામ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે : હિમાંશુ સોની

05 August, 2019 11:54 AM IST | મુંબઈ

પૌરાણિક સિરિયલમાં કામ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે : હિમાંશુ સોની

હિમાંશુ સોની

હિમાંશુ સોની


‘રામ સિયા કે લવ કુશ’માં રામનું પાત્ર ભજવનાર હિમાંશુ સોનીનું કહેવું છે કે મને પહેલેથી જ પૌરાણિક સિરિયલમાં કામ કરવામાં ઇન્ટરેસ્ટ રહ્યો છે. તેનું એવું પણ માનવું છે કે હાલમાં વિવિધ ચૅનલ્સ પર આવતા શો કરતાં આ પૌરાણિક સિરિયલમાં રોલ્સ વધુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. આ અગાઉ હિમાંશુએ ‘નીલી છત્રીવાલે’ અને ‘રાધા ક્રિષ્ન’માં પૌરાણિક પાત્રો ભજવ્યાં છે. આવી ભૂમિકા વિશે હિમાંશુએ કહ્યું હતું કે ‘રેગ્યુલર જે શો આવે છે એના કરતાં પૌરાણિક સિરિયલમાં કામ કરવાનું મને ગમે છે, કારણ કે એક પુરુષ કલાકાર તરીકે આવા પ્રકારની સિરિયલમાં રોલ અગત્યના હોય છે.

આ પણ વાંચો : બિગ બીએ કૌન બનેગા કરોડપતિની સીઝન-11નું શૂટિંગ શરૂ કર્યું



મને નથી લાગતું કે હું એવા પ્રકારનાં પાત્રો ભજવીને એક જ ભૂમિકામાં બંધાઈ જઈશ, કારણ કે દરેક ઐતિહાસિક પાત્રો અલગ હોય છે. ટેલિવિઝન પર હાલમાં જે પ્રકારની કન્ટેન્ટ દેખાડવામાં આવે છે એને જોતાં લાગે છે કે પુરુષો કરતાં મહિલાઓને સ્ટ્રૉન્ગ રોલ આપવામાં આવી રહ્યા છે, કારણ કે મહિલાપ્રધાન સ્ટોરી વધુ દેખાડવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2019 11:54 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK