Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નેપોટિઝમ વિવાદ વચ્ચે મારા દીકરાએ મને ડિજિટલ પર લૉન્ચ કર્યો:ઉદિત નારાયણ

નેપોટિઝમ વિવાદ વચ્ચે મારા દીકરાએ મને ડિજિટલ પર લૉન્ચ કર્યો:ઉદિત નારાયણ

14 September, 2020 08:41 PM IST | Mumbai
Mumbai Correspondent

નેપોટિઝમ વિવાદ વચ્ચે મારા દીકરાએ મને ડિજિટલ પર લૉન્ચ કર્યો:ઉદિત નારાયણ

ઉદિત નારાયણ

ઉદિત નારાયણ


સિંગર ઉદિત નારાયણે જણાવ્યું છે કે હાલમાં ચાલી રહેલા નેપોટિઝમના વિવાદ વચ્ચે મારા દીકરા આદિત્ય નારાયણે જ મને ડિજિટલ પ્લૅટફૉર્મ પર લૉન્ચ કર્યો છે. ઉદિત નારાયણ ચાર દાયકાથી સિન્ગિંગમાં સક્રિય છે. તેમણે હાલમાં જ ‘તેરે બગૈર’ ગીત રિલીઝ કર્યું છે. એ વિશે ઉદિત નારાયણે કહ્યું કે ‘મારે માત્ર મારા દીકરા આદિત્યને મારી સ્વતંત્ર કલાકાર બનવાની ઇચ્છા વ્યક્ત કરવાની જરૂર હતી. રેકૉર્ડ લેબલ, સોશ્યલ મીડિયા, સિંગલ અને મ્યુઝિક વિડિયો એ બધું જ તેણે સેટ કરી રાખ્યું હતું. મારે માત્ર તેણે ઘરમાં બનાવેલા સ્ટુડિયોમાં જઈને ‘તેરે બગૈર’ ગીત રેકૉર્ડ કરવાનું હતું. હું ગર્વથી કહી શકું કે વર્તમાન સમયમાં નેપોટિઝમ પર વિવાદ જાગ્યો છે એને જોતાં મારા દીકરાએ મને ડિજિટલ પ્લૅટફૉર્મ પર લૉન્ચ કર્યો છે. વિશ્વાસ કરો મારો, તેણે પોતાની મહેનતના પૈસાથી આ બધું મારા માટે ઊભું કર્યું હતું. આઇ લવ યુ, મને તારા પર ગર્વ છે દીકરા.’


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 08:41 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK