Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જવાની જાનેમન છોડવાનું કહેતાં સારા અલી ખાનને સૈફ અલી ખાને કહ્યું...

જવાની જાનેમન છોડવાનું કહેતાં સારા અલી ખાનને સૈફ અલી ખાને કહ્યું...

24 January, 2020 02:06 PM IST | Mumbai

જવાની જાનેમન છોડવાનું કહેતાં સારા અલી ખાનને સૈફ અલી ખાને કહ્યું...

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન


સૈફ અલી ખાને ‘જવાની જાનેમન’માંથી સારા અલી ખાનને હટવાનું કહીને તેને રણવીર સિંહ અને વરુણ ધવન સાથે કામ કરવાની સલાહ આપી હતી. આ ફિલ્મ દ્વારા આલિયા ફર્નિચરવાલા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મમાં સૈફ તેના ડૅડીની ભૂમિકામાં જોવા મળશે. આલિયા પહેલાં આ ફિલ્મ સારાને ઑફર કરવામાં આવી હતી? એનો જવાબ આપતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘હા. એ વખતે ‘કેદારનાથ’ અટકી પડી હતી અને સારા પાસે બીજી કોઈ ફિલ્મ નહોતી. એથી આ ફિલ્મ તેને ઑફર કરવામાં આવી હતી.

sara-ali-khan



એથી મેં તેને પૂછ્યું હતું કે શું તે આ ફિલ્મ કરવા માગે છે? તેણે તરત જ મને હા કહી દીધી હતી. ત્યાર બાદ ‘કેદારનાથ’ ફરીથી શરૂ કરવામાં આવી હતી. બાદમાં તેને ‘સિમ્બા’ પણ ઑફર કરવામાં આવી હતી. એથી મેં તેને એમ કહ્યું કે સારા, આ ફિલ્મ તું ન કર, કારણ કે આ ફિલ્મ તારા માટે બૅકઅપ પ્લાન તરીકે હતી. હું આ ફિલ્મ અન્ય કોઈની સાથે કરવા માગું છું. તને રણવીર સિંહ અને વરુણ ધવન સાથે કામ કરવું જોઈએ. તે આ વાત માની ગઈ હતી. તેણે કહ્યું ઓકે, થૅન્ક યુ. હું એમ જ કરીશ. આ એકદમ સરળ બાબત છે. હું તેની સાથે કામ કરવા નહોતો માગતો, કારણ કે એના કારણે ફૅમિલીમાં અસહજતા નિર્માણ થઈ હોત.


આ પણ વાંચો : સ્ક્રીન પર મહિલાઓનાં પાત્રો ભજવવાં ગમે છે સુનીલ ગ્રોવરને

અમને ૩થી ૫ ફિલ્મો સાથે ઑફર કરવામાં આવી હતી. એ વખતે મને રોલમાં રસ નહોતો તો ક્યારેક એમ બનતું કે તેને રોલમાં ઇન્ટરેસ્ટ નહોતો.’


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2020 02:06 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK