Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્શાલ્લાહ છોડ્યા બાદ સલમાન ખાને કહ્યું કે...

ઇન્શાલ્લાહ છોડ્યા બાદ સલમાન ખાને કહ્યું કે...

28 August, 2019 12:03 PM IST | મુંબઈ

ઇન્શાલ્લાહ છોડ્યા બાદ સલમાન ખાને કહ્યું કે...

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાને ‘ઇન્શાલ્લાહ’ને અલવિદા કહી દીધા બાદ જણાવ્યું હતું કે સંજય લીલા ભણસાલી આ ફિલ્મ સાથે ગદ્દારી ન કરી શકે. સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી ઘણાં વર્ષોથી સારા ફ્રેન્ડ્સ છે. બન્ને એકબીજાને ‘ખામોશી’ પહેલાંથી જ ઓળખે છે. સંજય લીલા ભણસાલી સાથેના સંબંધો વિશે સલમાને કહ્યું હતું કે ‘સંજય મારો ત્યારથી ફ્રેન્ડ છે જ્યારે અમે ‘ખામોશી’ પણ નહોતી બનાવી. તે મનીષા કોઇરાલાના માધ્યમથી મને મળ્યો હતો. ત્યાર બાદ અમે ‘હમ દિલ દે ચુકે સનમ’માં સાથે કામ કર્યું હતું. તે જ્યારે મારી પાસે આ ફિલ્મ લઈને આવ્યો ત્યારે મને એ ગમી ગઈ અને અમે ફરીથી સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. એક વસ્તુ હું કહેવા માગું છું કે સંજય ‘ઇન્શાલ્લાહ’ સાથે ગદ્દારી ન કરી શકે.

આ પણ વાંચો : ઇન્શાલ્લાહ પર થોડા સમય માટે લાગી બ્રેક



હું ચાહું છું કે તે એવી જ ફિલ્મ બનાવે જેવી તે બનાવવા માગે  છે. એક ફ્રેન્ડ તરીકે અમારી વચ્ચે કંઈ પણ બદલાયું નથી અને સંજયના દિલમાં પણ કંઈ બદલાયું નથી. હું તેમની મમ્મી લીલા અને બહેન બેલાની ખૂબ નિકટ છું. હું તેમને શુભેચ્છા આપું છું. અમે બન્ને ભવિષ્યમાં ચોક્કસ સાથે કામ કરીશું. ઇન્શાલ્લાહ.’


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 12:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK