નસીરુદ્દીન શાહને અનુપમ ખેરે કહ્યું, મારા લોહીમાં હિન્દુસ્તાન છે
અનુપમ ખેર
નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને જોકર કહી દીધા બાદ તેમને સણસણતો જવાબ આપતાં અનુપમ ખેરે જણાવ્યું કે તેમના લોહીમાં ભારત વસે છે. દેશમાં વિવિધ મુદ્દાઓને લઈને એક પ્રકારનું વાક્યુદ્ધ છેડાઈ ગયું છે. નસીરુદ્દીન શાહે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ તેમને જવાબ આપતાં અનુપમ ખેરે એક વિડિયો ટ્વિટર પર શૅર કર્યો હતો. વિડિયોમાં અનુપમ ખેર જણાવી રહ્યા છે કે ‘જનાબ નસીરુદ્દીન શાહ, મારા વિશે તમે આપેલો ઇન્ટરવ્યુ મેં જોયો.
મારી પ્રશંસા કરતાં તમે કહ્યું હતું કે હું જોકર છું, મને સિરિયસલી ન લેવો જોઈએ. હું સિકોફૅન્ટિક છું, વગેર-વગેરે. આ પ્રશંસા માટે આભાર. હું તમને જણાવવા માગું છું કે તમને અને તમારી વાતોને પણ હું સિરિયસલી નથી લેતો. હું આજ સુધી કદી પણ તમારા વિશે ઘસાતું બોલ્યો નથી, પરંતુ હવે કહીશ. તમે સફળતા મેળવવા છતાં પણ તમારી આખી જિંદગી હતાશામાં જ પસાર કરી છે. જો તમે દિલીપકુમાર સા’બ, અમિતાભ બચ્ચન સા’બ, શાહરુખ ખાન, રાજેશ ખન્ના અને વિરાટ કોહલીની નિંદા કરી શકો છો તો મને એ વાતની ખાતરી છે કે હું ગ્રેટ કંપનીમાં છું.
ADVERTISEMENT
આ પણ વાંચો : શબાના આઝમીની તબિયત હવે સુધારા પર છે : જાવેદ અખ્તર
એ તમામ સેલિબ્રિટીએ કદી પણ તમારા નિવેદનનો રિપ્લાય નથી આપ્યો અને એને કદી પણ સિરિયસલી નથી લીધું, કારણ કે અમે બધા જાણીએ છીએ કે એ તમે છો જ નહીં; એ તો વર્ષોથી તમે જે બહારના પદાર્થોનું સેવન કરો છો એ બોલે છે. એને કારણે તમને ખરા અને ખોટાનો તફાવત નથી ખબર. જો મારા વિશે ખરાબ બોલીને તમને એક-બે દિવસની પબ્લિસિટી મળતી હોય તો હું આશા રાખું છું કે તમને એ ખુશી મળતી રહે. ભગવાન તમારું ભલું કરે. તમારો શુભચિંતક અનુપમ. શું તમે જાણવા માગો છો કે મારા લોહીમાં શું છે? મારા લોહીમાં હિન્દુસ્તાન સમાયેલું છે. એ વાતને બરાબરથી જાણી લો. જય હો.’