Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અલાદીન...માં ઝફરના ષડ્યંત્રનો પર્દાફાશ કરશે અલી

અલાદીન...માં ઝફરના ષડ્યંત્રનો પર્દાફાશ કરશે અલી

19 August, 2019 11:33 AM IST | મુંબઈ

અલાદીન...માં ઝફરના ષડ્યંત્રનો પર્દાફાશ કરશે અલી

અલાદીન

અલાદીન


સોની સબ પર આવી રહેલા શો ‘અલાદીન : નામ તો સુના હોગા’માં બહુ જલદી ઝફરના શેતાની ઇરાદાને છતા કરવામાં આવશે. આ શો એના ચાહકોને હંમેશાં ટ્વિસ્ટ અને ટર્નથી પોતાની તરફ આકર્ષવામાં સફળ રહ્યો છે. આ શોમાં આમિર દલ્વી વિલન ઝફરનું પાત્ર ભજવી રહ્યો છે અને તેના શેતાની ઇરાદાઓને બહુ જલદી બધાની સામે લાવવામાં આવશે. આ શોમાં જીન્નુ ભૂલમાં બોલે છે કે ‘રાજ-એ-કાયનાત’ અને એનાથી ઝફરના ષડયંત્રનો પર્દાફાશ થાય છે. અલી, બુલબુલ ચાચા અને જિન આ શબ્દનો મતલબ શોધવા પાછળ દોટ મૂકે છે. સોન મીનારને બનાવવા પાછળના ઝફરના શેતાની ઇરાદાને અલી બહાર લાવવા માગતો હોય છે. જીન્નુ અને ઝફર વચ્ચેની વાતને અલી સાંભળી જાય છે. આ માટે અલી જાહેર કરી દે છે કે મહાન વજીર ઝફરે બગદાદની તમામ મહિલાઓને પાછી લાવવાનું વચન આપ્યું છે. આ મહિલાઓમાં યાસ્મિન અને સુંદર જિની મિની પણ સામેલ છે. જોકે અલીની ચાલથી ઝફર અજાણ હોય છે અને તેની ચાલ પર તે શું પ્રતિક્રિયા આપશે એ જોવું રહ્યું.

namah



ભગવાન વિષ્ણુ અને શંકરની મિત્રતા પર બની રહ્યો છે શો નમ:


સ્ટાર પ્લસ પર બહુ જલદી શરૂ થઈ રહ્યો છે નવો શો ‘નમ: અનંત મિત્રતા કી મહાગાથા’. આ શોમાં મિત્રતાની વાત કરવામાં આવશે. શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન વચ્ચેની મિત્રતા પર આ એક ફિક્શન-શો છે. ભારતમાં પહેલી વાર શંકર અને વિષ્ણુની મિત્રતાને લઈને કોઈ શો બની રહ્યો છે. અત્યાર સુધી શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન પર અલગ-અલગ શો બનાવવામાં આવ્યા છે. તેમના જુદા-જુદા વિચારો, ઓળખ અને તેમની શક્તિઓ વિશે આ એક અનોખો શો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 11:33 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK