આશા રાખું છું કે ‘મિશન મંગલ’ને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે:શર્મન જોષી
‘મિશન મંગલ’ને લઈને શર્મન જોષીએ આશા વ્યક્ત કરી છે કે લોકો આ ફિલ્મને લાંબા સમય સુધી યાદ રાખે. ૧૫મી ઑગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મ ભારતનાં મંગળનાં મિશનની સ્ટોરી વર્ણવે છે. ફિલ્મમાં શર્મન જોષીની સાથે અક્ષયકુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન જોવા મળી રહ્યાં છે. ફિલ્મને મળી રહેલાં લોકોનાં પ્રતિસાદ પર ખુશી વ્યક્ત કરતાં શર્મન જોષીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ બનાવતી વખતે અમે ખૂબ મહેનત કરી છે. અમને પહેલેથી આશા હતી કે લોકોને આ ફિલ્મ જરૂર ગમશે.
આ પણ વાંચો: Saaho ની રિલીઝ પહેલા પ્રભાસના ચાહકોને ગીફ્ટ, લોન્ચ થઈ ગેમ
ADVERTISEMENT
કારણ કે આ ફિલ્મ બનાવતી વખતે અમને પણ ખૂબ મજા આવી હતી. ફિલ્મને મળી રહેલાં પ્રતિસાદથી ખૂબ ખુશ છું. હજી તો એક જ દિવસ થયો છે. પૂરી ટીમ રિસ્પૉન્સને લઈને ખુશ છે. આશા રાખુ છું કે લોકો પણ લાંબા ગાળા સુધી આ ફિલ્મને યાદ રાખશે.’