મિર્ઝાપુર 2ને બૉયકૉટ કરવાની વાતને સ્ટુપિડ ગણાવી દિવ્યેન્દુ શર્માએ
દિવ્યેન્દુ શર્મા
‘મિર્ઝાપુર 2’ની રિલીઝનાં બે અઠવાડિયાં પહેલાં જ લોકો એને બૉયકૉટ કરવાની વાત કરી રહ્યા છે. સિટિઝનશિપ ઍક્ટ દરમ્યાન અલી ફઝલે કરેલા ટ્વીટને લઈને આ શોને બૉયકૉટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ શોમાં તે મુન્ના ત્રિપાઠીનું પાત્ર ભજવી રહ્યો છે. આ શોને લઈને એને બૉયકૉટ કરવાથી આ શો, એની ટીમ, એનું ક્રૂ અને એના ફૅન્સને કોઈ ફરક નહીં પડે એવું દિવ્યેન્દુનું માનવું છે. આ વિશે વધુ વાત કરતાં દિવ્યેન્દુએ કહ્યું હતું કે ‘એનાથી મને વધુ ફરક નથી પડતો. તેમને ખબર નથી કે તેમણે કેટલી મોટી મુસીબતને આમંત્રણ આપ્યું છે, કારણ કે ‘મિર્ઝાપુર’ના ઘણા ચાહકો છે. આ તમામ પૈસા ખર્ચીને કરવામાં આવેલા ટ્રેન્ડ સ્ટુપિડ છે. બહાર નિકલકે મત બોલ દેના લોગોં કે સામને... બહુત પડેગી તુમકો.’