Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજકુમાર હીરાણી સત્યને પકડીને ચાલનાર વ્યક્તિ છે : શર્મન જોષી

રાજકુમાર હીરાણી સત્યને પકડીને ચાલનાર વ્યક્તિ છે : શર્મન જોષી

16 January, 2019 09:27 AM IST |

રાજકુમાર હીરાણી સત્યને પકડીને ચાલનાર વ્યક્તિ છે : શર્મન જોષી

શર્મન જોષી

શર્મન જોષી


રાજકુમાર હીરાણીનું નામ હાલમાં જ #MeToo કૅમ્પેનમાં આવ્યું છે. જોકે આ વાતને રાજકુમાર હીરાણીએ ફગાવી દીધી છે. તેમ જ બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ પણ રાજકુમાર હીરાણીના પક્ષમાં બોલી રહી છે. ‘હું રાજકુમાર હીરાણીની સાથે છું’ નામનું સોશિયલ મીડિયા પર એક કૅમ્પેન ચાલી રહ્યું છે. રાજકુમાર હીરાણીની અસિસ્ટન્ટ દ્વારા તેમના પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ આરોપમાં મહિલાએ કહ્યું હતું કે ૨૦૧૮ના માર્ચથી લઈને સપ્ટેમ્બર સુધી તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટના ‘સંજુ’ના પોસ્ટ-પ્રોડક્શન દરમ્યાન થઈ હતી. આ ઘટનાને લઈને શર્મન જોષીએ ટ્વીટ કર્યું હતું કે ‘રાજુસર ખૂબ જ પ્રામાણિક છે. તેમનું કૅરૅક્ટર ખૂબ જ સારું છે. તેઓ એક ખૂબ જ પ્રતિષ્ઠિત, દયાળુ અને સત્યને પકડીને ચાલનાર વ્યક્તિ છે.

આ પણ વાંચો : રોહિત શેટ્ટીની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની સિમ્બા



આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિમાં સારા ગુણ મળવા મુશ્કેલ છે એવા ગુણ તેમનામાં છે. હું તેમનાથી ખૂબ જ પ્રેરિત થયો છું અને તેમની પાસેથી ઘણું શીખ્યો છું. આજે હું જો સારી વ્યક્તિ બની શક્યો હોઉં તો હું તેમના કારણે બન્યો છું. હું બસ એટલું જ કહેવા માગું છું કે સર, આ સમય પસાર થઈ જશે. આવી પરિસ્થિતિમાં પોતાના માટે પણ સાબિતી આપવી એ કેટલું અપમાનજનક હોય છે એ હું સમજી શકું છું.’


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2019 09:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK