સોનુ નિગમે તેના વિડિયોમાં નામ લીધા બાદ મરીના કંવરે કહ્યું...
ભૂષણ કુમાર પર આરોપ લગાવતા વિડિયોમાં સોનુ નિગમે મરીના કંવરનું નામ લીધું હતું. ત્યાર બાદ હવે મરીનાએ જણાવ્યું છે કે કેટલીક ઘટનાઓ ખૂબ અસર કરી જાય છે. મરીના ‘CID’ અને ‘આહટ’માં જોવા મળી હતી. તે ડિપ્રેશનમાંથી પણ પસાર થઈ હતી. આ વિશે ટ્વિટર પર મરીનાએ ટ્વીટ કર્યું હતું કે ‘અધૂરી કહાની પર ખામોશ હોટોં કા પહરા હૈ, ચોટ રૂહ કી હૈ ઇસ લિએ દર્દ ઝરા ગહરા હૈ.’
સાથે જ મરીનાએ વધુ એક ટ્વીટ કર્યું હતું કે ‘તમારી લાઇફ જ્યારે કેટલીક ઘટનાઓને કારણે વળાંક લે છે એ વખતે તમે ડિપ્રેશનમાં સરી જાઓ છો. કોઈ નથી જાણતું કે એ ઘટના તમને કેટલી ઊંડે સુધી અસર કરી ગઈ છે. ક્યારેક આપણે એના તરફ ધ્યાન નથી આપતા અને ક્યારેક આપણી લાઇફનો આપણે અંત લાવીએ છીએ. ખૂબ જ ડિપ્રેસ થઈ છું.’