Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સાંઈની કૃપાથી મેરે સાંઈમાં મળી એન્ટ્રી

સાંઈની કૃપાથી મેરે સાંઈમાં મળી એન્ટ્રી

23 September, 2020 07:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાંઈની કૃપાથી મેરે સાંઈમાં મળી એન્ટ્રી

છાયા કદમ

છાયા કદમ


સોની ટીવી પર આવતી ‘મેરે સાંઈ’માં મરાઠી ઍક્ટ્રેસ છાયા કદમ હવે દાખલ થવાની છે. મરાઠી ફિલ્મોમાં છાયા કદમનું નામ બહુ મોટું છે. સુપરહિટ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’થી લઈને હિન્દી ફિલ્મ ‘અંધાધૂન’ જેવી બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મોમાં ઍક્ટિંગ કરી ચૂકેલી છાયા કદમ ‘મેરે સાંઈ’માં પોતાની એન્ટ્રીને સાંઈની કૃપા જ માને છે. જૂજ લોકોને ખબર છે કે છાયાના પપ્પા શિર્ડીના સાંઈમંદિરના ટ્રસ્ટી હતા અને તેમણે વર્ષો સુધી સાંઈમંદિરને ડેવલપ કરવાનું કામ કર્યું છે. છાયા કદમ કહે છે, ‘જો અત્યારે પપ્પા હયાત હોત તો મારા કરતાં વધારે ખુશ તેઓ હોત. તેમણે મંદિરે જઈને સાંઈને પ્રસાદ ચડાવ્યો હોત અને આખું શિર્ડી ગજવી નાખ્યું હોત.’

સાંઈબાબાએ એક વિધવા મહિલાની લાઇફમાં કેવો ચમત્કાર કર્યો હતો અને વિધવાઓને સન્માન મળે એ માટે શું કર્યું હતું એ સંદર્ભની કથામાં છાયા કદમની એન્ટ્રી થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2020 07:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK