બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી કોઈ ફરક નથી પડતો મનોજને
મનોજ બાજપાઈનું કહેવું છે કે હાલમાં દેશમાં જે ચાલી રહ્યું છે એનાથી તેને કોઈ અસર નથી પડી રહી. લૉકડાઉનને કારણે મનોજ બાજપાઈ હાલમાં ઉત્તરાખંડમાં છે. તે ત્યાં તેની ફૅમિલી સાથે છે. આ વિશે વાત કરતાં મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘હું મારી ફૅમિલી સાથે પહાડોમાં ફસાઈ ગયો છું. જોકે અહીં રહેવું ખૂબ જ સારું છે. દેશમાં જે ધમાલ ચાલી રહી છે એની મારા પર કોઈ અસર નથી પડી રહી. અહીંના લોકલ માણસો પણ ખૂબ જ સારા અને કાળજી લેનારા છે. આ લૉકડાઉન દ્વારા આપણને એક વાત ખબર પડી છે કે લાઇફ અનિશ્ચિત છે. હું એ જ વિચારી રહ્યો હતો કે આપણે પોતાની જાતને વગરકામનું મહત્ત્વ આપી રહ્યા છીએ. આ પરિસ્થિતિમાં પૈસાદાર હોય કે ગરીબ, દરેક એકસરખા છે. આ જ નેચરની સુંદરતા અને પાવર છે. નેચરે જ્યારે એનો પાવર દેખાડવાનો હોય છે ત્યારે એની સામે કોઈ નહીં ટકી શકે.’