Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી કોઈ ફરક નથી પડતો મનોજને

બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી કોઈ ફરક નથી પડતો મનોજને

13 May, 2020 06:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી કોઈ ફરક નથી પડતો મનોજને

બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી કોઈ ફરક નથી પડતો મનોજને


મનોજ બાજપાઈનું કહેવું છે કે હાલમાં દેશમાં જે ચાલી રહ્યું છે એનાથી તેને કોઈ અસર નથી પડી રહી. લૉકડાઉનને કારણે મનોજ બાજપાઈ હાલમાં ઉત્તરાખંડમાં છે. તે ત્યાં તેની ફૅમિલી સાથે છે. આ વિશે વાત કરતાં મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘હું મારી ફૅમિલી સાથે પહાડોમાં ફસાઈ ગયો છું. જોકે અહીં રહેવું ખૂબ જ સારું છે. દેશમાં જે ધમાલ ચાલી રહી છે એની મારા પર કોઈ અસર નથી પડી રહી. અહીંના લોકલ માણસો પણ ખૂબ જ સારા અને કાળજી લેનારા છે. આ લૉકડાઉન દ્વારા આપણને એક વાત ખબર પડી છે કે લાઇફ અનિશ્ચિત છે. હું એ જ વિચારી રહ્યો હતો કે આપણે પોતાની જાતને વગરકામનું મહત્ત્વ આપી રહ્યા છીએ. આ પરિસ્થિતિમાં પૈસાદાર હોય કે ગરીબ, દરેક એકસરખા છે. આ જ નેચરની સુંદરતા અને પાવર છે. નેચરે જ્યારે એનો પાવર દેખાડવાનો હોય છે ત્યારે એની સામે કોઈ નહીં ટકી શકે.’


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2020 06:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK