બિહાર પૂરપીડિતો માટે મદદની અપીલ કરી મનોજ બાજપાઈ અને પંકજ ત્રિપાઠીએ
મનોજ બાજપાઈ
બિહારમાં આવેલા પૂરપીડિતોની મદદ કરવાની અપીલ મનોજ બાજપાઈ અને પંકજ ત્રિપાઠીએ કરી છે. બિહારમાં પૂરે એટલી તો તારાજી ફેલાવી છે કે લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે. કેટલાકનાં અવસાન પણ થયાં છે. એવામાં તેમની મદદ માટે આગળ આવવાનું આહવાન કરતાં ટ્વિટર પર મનોજ બાજપાઈએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર ફ્રેન્ડ્સ, બિહારના લોકોને તમારી મદદની જરૂર છે.
ADVERTISEMENT
પ્લીઝ હેલ્પ. બિહાર સીએમ રિલીફ ફન્ડમાં મદદરાશિ જમા કરાવી શકાશે. એ માહિતી લોકો સુધી પહોંચાડો. તમે Paytmથી પણ મદદ કરી શકો છો.’
આ પણ વાંચો : ધમાલ મચાવવા માટે વુમનિયાં તૈયાર
બિહારના લોકોની મદદ માટે ટ્વિટર પર પંકજ ત્રિપાઠીએ ટ્વીટ કર્યું હતું કે ‘હેલો. પૂરપીડિતો માટે કોઈ પણ પ્રકારે અમને તમારી મદદની જરૂર છે. પ્લીઝ તમારું અમૂલ્ય યોગદાન આપો.’