કુમકુમ ભાગ્યમાં નેગેટિવ રોલ કરશે મનીષ ખન્ના
મનીષ ખન્ના
ઝી ટીવી પર ‘કુમકુમ ભાગ્ય’ સહિતના શોના નવા એપિસોડ ૧૩ જુલાઈથી આવવાના છે. ત્રણેક મહિના અટકી ગયેલા શૂટિંગ બાદ નિર્માતાઓ હવે અનલૉક તબક્કામાં મનોરંજન બિલકુલ અટકે નહીં એ માટે શોમાં ટર્ન અને ટ્વિસ્ટ ઊભાં કરવાના છે. શબ્બીર અહલુવાલિયા (અભિ) અને શ્રુતિ ઝા (પ્રજ્ઞા)ના શો ‘કુમકુમ ભાગ્ય’માં પણ દર્શકોને કંઈક નવું અને રસપ્રદ જોવા મળશે એવું લાગી રહ્યું છે.
આ શોમાં મનીષ ખન્નાની નેગેટિવ રોલમાં એન્ટ્રી થવાની છે. ‘નાગિન’ અને ‘કયામત કી રાત’ જેવી સિરિયલો કરી ચૂકેલા મનીષ ‘કુમકુમ ભાગ્ય’માં માયાના અંકલ દુષ્યંત સિંહ ચૌબે તરીકે જોવા મળશે. દુષ્યંત સિંહ અભિ અને પ્રજ્ઞાની લવ-સ્ટોરીમાં ટ્વિસ્ટ લાવશે. તેમનું આ પાત્ર શોના આગામી ટ્રૅક મજબ બહુ મહત્ત્વનું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ઝી ટીવીના શો ‘ઇશ્ક સુભાન અલ્લાહ’માં પણ મનીષ ખન્નાએ નેગેટિવ રોલમાં એન્ટ્રી કરી હતી.