Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પદ્માવતમાં રણવીર સિંહને બદલે મીઝાને ભજવ્યાં હતાં બે દૃશ્યો

પદ્માવતમાં રણવીર સિંહને બદલે મીઝાને ભજવ્યાં હતાં બે દૃશ્યો

22 June, 2019 09:36 AM IST |

પદ્માવતમાં રણવીર સિંહને બદલે મીઝાને ભજવ્યાં હતાં બે દૃશ્યો

પદ્માવત

પદ્માવત


જાવેદ જાફરીના દીકરા મીઝાનનું કહેવું છે કે ‘પદ્‍માવત’માં બે દૃશ્યો રણવીર સિંહના સ્થાને તેણે ભજવ્યાં હતાં. સંજય લીલા ભણસાલીની ‘મલાલ’ દ્વારા મીઝાન બૉલીવુડમાં એન્ટ્રી કરવાનો છે. આ ફિલ્મ પાંચ જુલાઈએ રિલીઝ થવાની છે.

mizaan



‘પદ્‍માવત’ વિશે વધુ જણાવતાં મીઝાને કહ્યું હતું કે ‘હું સંજય સરને ‘પદ્‍માવત’માં અસિસ્ટ કરી રહ્યો હતો. હું સેટ પર જ હતો. તેઓ ચર્ચા કરી રહ્યા હતા કે કેટલાંક દૃશ્યો શૂટ કરવાં અઘરાં છે, કારણ કે રણવીર તેનાં અન્ય કમિટમેન્ટ્સના કારણે બિઝી છે. જોકે સંજય સરે ત્યારે કહ્યું હતું કે આપણે શૂટ કરીશું. મને આશ્ચર્ય થયું હતું.


આ પણ વાંચો : શાહરુખનો ફ્રેન્ડ બન્યા બાદ બાર વર્ષ પછી આર્યનનો ફ્રેન્ડ બનશે શ્રેયસ તલપડે

તેમણે મારી તરફ જોયું અને કહ્યું હતું કે હું એ દૃશ્યો કરું. બીજા દિવસે સેટ પર તેમણે મને કહ્યું હતું કે રણવીરના હાવભાવ અને લાઇન્સ બરાબર યાદ રાખજે. ‘પદ્‍માવત’માં બે દૃશ્યો એવાં હતાં જેમાં રણવીર સિંહના સ્થાને હું ઊભો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2019 09:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK