અર્જુન સાથેના લગ્નની અફવાઓ પર મલાઈકાએ તોડી ચુપ્પી, જાણો શું કહ્યું
મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)
અર્જુન કપૂર સાથેના મલાઈકાના સંબંધો લાંબા સમયથી ચર્ચામાં છે. આ બંને અવાર નવાર એકબીજા સાથે હાથમાં હાથમાં પરોવીને જતા જોવા મળે છે. સમય સમયે તેમના લગ્નની અફવાઓ સામે આવતી રહ્યા છે. આખરે મલાઈકાએ આ અફવાઓ પર પૂર્ણવિરામ મુક્યું છે.
બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતા મલાઈકાએ લગ્નને લઈને કોઈ પણ માહિતી આપવાની ના પાડી અને કહ્યું કે, "આ ફાલતુની અટકળોમાં કોઈ તથ્ય નથી."
અફવાઓ તો એવી પણ છે કે મલાઈકા અને અર્જુન એપ્રિલ 18 થી એપ્રિલ 22 વચ્ચે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. વાતો તો એવી પણ સાંભળવા મળી રહી છે કે આ લગ્ન ગોઆમાં થઈ શકે છે જ્યાં બંને પરિવારોનો પોતાના ઘર છે. અહેવાલો એવા પણ છે કે બંનેએ પોતાના મિત્રો અને સંબંધીઓને આ તારીખો ખાલી રાખવાનું કહી દીધું છે.
આ પણ વાંચોઃ મલાઇકા અને અર્જુન ફરી સાથે હોસ્પિટલ જતાં દેખાયા, આખરે શું છે ઘટના?
ADVERTISEMENT
મહિનાની શરૂઆતમાં મલાઈકા તેની ગર્લ ગેંગ સાથે માલદિવ્સમાં ચીલ કરતી જોવા મળી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે મલાઈકા અહીં પોતાની બેચલોરેટ પાર્ટી મનાવી રહી હતી. જ્યાંથી મલાઈકાએ બિકિનીમાં ફોટોસ શેર કર્યા હતા, પરંતુ લોકોનું ધ્યાન અર્જુન કપૂરના પણ ત્યાંથી જ પોસ્ટ કરવામાં આવેલા ફોટો પર વધુ પડ્યું હતું.