મલાઈકા અરોરાને તલાકના એક દિવસ પહેલા મળી આ સલાહ, ફરી એક વાર વિચાર.....
મલાઈકા (ફાઈલ ફોટો)
મલાઈકા અરોરા બોલીવુડની એ સેલેબ્રિટિઝમાંની એક છે જે બ્યુટિફુલની સાથે સાથે બોલ્ડ પણ છે. વર્ષ 2017માં મલાઈકાએ અરબાઝ ખાન સાથે 18 વર્ષના દાંપત્ય જીવન પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય લીધો. આ સમાચાર સામે આવતાં જ લોકોએ ખૂબ વાતો કરી, મલાઈકાને ટ્રોલ પણ કરવામાં આવી. મલાઈકાએ અક રેડિયો શોની હોસ્ટ કરીના કપૂર ખાનને જણાવ્યું કે કઈ રીતે ડિવોર્સ પહેલા લોકોએ તેને સંબંધ સાચવવાની સલાહો આપી. જણાવી દઇએ કે હાલમાં જ મલાઈકા અભિનેતા અર્જુન કપૂર સાથે અફેરમાં હોવાની વાતને લઈને ચર્ચામાં છે.
કરીના કપૂરના રેડિયો શોમાં જ્યારે મલાઈકાને પૂછવામાં આવ્યું કે ડિવોર્સ ઈન્ડિયન સોસાઈટીમાં એક મોટું પગલું છે. જ્યારે મલાઈકાએ આ નિર્ણય લીધો તો તેને કેવી સલાહો મળી હતી? મલાઈકાએ જવાબમાં કહ્યું કે તલાક લેવાની આગલી રાતે પણ તેના પેરેન્ટ્સે તેને પૂછ્યું કે તું ફરી એક વાર વિચારી લે. શું તું ખરેખર આ બાબતે શ્યોર છે? મલાઈકાએ પોતાના નિર્ણયને યોગ્ય જણાવતાં બીજા દિવસે અરબાઝને ડિવોર્સ આપ્યો.
ADVERTISEMENT
અમારા સંબંધમાં કંઇ રહ્યું જ ન હતું : મલાઇકા
મલાઈકાનું કહેવું છે કે આવા અવસરે બધાં તમને સમજાવતા હોય છે કે ડિવોર્સ લેવું યોગ્ય નથી. સંબંધને વધુ એક તક આપવી જોઈએ પણ જ્યારે સંબંધમાં કંઈ રહ્યું જ ન હોય તો તેને કેવી રીતે આજીવન આગળ વધારી શકાય.
આ પણ વાંચો : મલાઈકા-અર્જુન, કરિશ્મા-અમૃતા, ગૌરી ખાન બાન્દ્રામાં દેખાયા, જુઓ તસવીરો
જણાવીએ કે મલાઈકા અરોરા તાજેતરમાં પ્રેમમાં પડી છે અને તેના બૉયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે જોવા મળે છે. બૉલીવુડના આ ક્યુટ અનઓફિશીયલ કપલે અત્યાર સુધી ભલે કોઈ જ ખુલાસો ન કર્યો હોય પણ તેમનો પ્રેમ હવે છાનું રહી શકે તેમ નથી. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરને અનેક ટોક શો અને પ્રમોશનલ ઈવેન્ટ્સ દરમિયાન તેમના અફેર વિશે પૂછવામાં આવે છે પણ બન્ને મૌન સાધી લેતા હતા.