મલાઇકા અને અર્જુન ફરી સાથે હોસ્પિટલ જતાં દેખાયા, આખરે શું છે ઘટના?
અર્જુન કપૂર સાથે મલાઇકા અરોરા
બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં "દો દિલ મિલ રહે હૈ મગર ચુપકે ચુપકે" આવું માત્ર ગીતમાં જ નહીં પણ હકીકતે પણ બનતું જોવા મળે છે. જેમાં અર્જુન અને મલાઇકાનું નામ પણ જોડાતું હોય છે. આ બન્ને વચ્ચે પ્રેમના કિસ્સાઓ તો કેટલાક વર્ષોથી હતા પણ હવે ધીમે ધીમે તેમના સંબંધો ચર્ચાનો વિષય બની રહ્યા છે. બન્નેએ જાહેર નથી કર્યું પણ આડકતરી રીતે સંકેતો તો કરી જ દીધા છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ડેટ કરે છે એટલું જ નહીં બન્નેના લગ્નના સમાચાર પણ ઘણા સમયથી સાંભળવા મળે છે. આ વાયરાઓ દરમિયાન અર્જુન અને મલાઇકા ફરી એકસાથે હોસ્પિટલમાં જતાં જોવા મળ્યા.
લીલાવતી હોસ્પિટલમાં બંને સાથે જોવા મળ્યા
ADVERTISEMENT
બોલીવુડ હાઉસ પાર્ટી મૂવી ડેટ્સ અને હોલિડે સિવાય તાજેતરમાં બન્ને હૉસ્પીટલમાં જતા જોવા મળ્યા. મલાઇકા અને અર્જુન બન્ને એકસાથે ગાડીમાં નીકળ્યા અને લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા. તસવીરમાં તમે સફેદ ટી શર્ટ અને પેન્ટ્સમાં મલાઇકા અને અર્જુનને કૅઝ્યુઅલ લૂકમાં જોઇ શકો છો. લગ્નની વાતો વચ્ચે બન્ને એક સાતે હૉસ્પિટલમાં જતાં દેખાયા તેની પાછળનું કારણ શું, એ તો મલાઇકા અને અર્જુન જાણે. જણાવીએ કે શૉ 'કૉફી વિથ કરણ' એક એપિસોડમાં મલાઇકાએ અર્જુન સાથેના સંબંધ વિશે વાત કરતાં કહ્યું હતું તે અર્જુનને ખૂબ જ પસંદ કરે છે, આ રીતે પણ અને તે રીતે પણ.
એટલું જ નહીં મલાઇકા અને અર્જુન તાજેતરમાં જ એકસાથે માલદીવ્સ પણ ગયા હતા. જ્યાં તેમણે પોતાના હોલી ડેને ખૂબ જ એન્જૉય કર્યું. જો કે બન્નેએ એવી ખબર પણ પડવા નથી દીધી કે બન્ને એક સાથે હતા. પણ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો માલદીવ્સની જ હતી.
આ પણ વાંચો : અર્જુન કપૂર અને મલાઈકાના લગ્ન વિશે બોલ્યા પુર્વ પતિ અરબાઝ ખાન
બંને વર્ષના અંત સુધીમાં લગ્ન કરે તેવી શક્યતા
એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે અર્જુન અને મલાઇકા આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. તેમના લગ્ન ખ્રિસ્તી ધર્માનુસાર થશે. મલાઇકા પતિ અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા બાદ હવે બાળકો સાથે પોતાની માતાના ઘરે રહે છે. જો કે, બાળકોની પેરેન્ટિંગ અરબાઝ અને મલાઇકા બને મળીને કરી રહ્યાં છે.