કરણવીર બોહરા લઈને આવ્યો છે 'લૉકડાઉન વિથ KV'
કરણવીર બોહરા
કરણવીર બોહરા મનોરંજનથી ભરપૂર લાઇવ સિરીઝ ‘લૉકડાઉન વિથ KV’માં વિવિધ પ્રકારના લોકોનાં જીવન વિશે જાણવાનો પ્રયાસ કરશે. આ અગાઉ તેણે પોતાના સેલિબ્રિટી ફ્રેન્ડ્સની સાથે 21 સવાલોની સિરીઝ ઇન્સ્ટાગ્રામ પર શરૂ કરી હતી. હવે આ વખતે તે અલગ-અલગ લોકોનાં જીવન પર પ્રકાશ પાડશે.
લૉકડાઉનને જોતાં આ સિરીઝ શરૂ કરવા વિશે કરણવીરે કહ્યું હતું કે ‘આ શો શરૂ કરવા પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે લોકોને બિઝી રાખવામાં આવે. વર્તમાનમાં ચાલી રહેલા તનાવની સ્થિતિને જોતાં લોકો સાથે વાતો કરી ખાસ કરીને તેમને સાંભળવા અને સારી કન્ટેન્ટ દેખાડીને તેમનું માઇન્ડ ડાઇવર્ટ કરવાનો હું પ્રયાસ કરવાનો છે. આ જ લક્ષ સાથે મારી સેકન્ડ સિરીઝ ‘લૉકડાઉન વિથ KV’ શરૂ કરવામાં આવશે. અલગ-અલગ લોકોની લાઇફ વિશે જાણવામાં અને તેમનાં રોજબરોજનાં કામ વિશે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આવા કપરા સમયમાં તેઓ કેવી રીતે સમય વિતાવે છે એ જાણવામાં આવશે.’