Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કરણવીર બોહરા લઈને આવ્યો છે 'લૉકડાઉન વિથ KV'

કરણવીર બોહરા લઈને આવ્યો છે 'લૉકડાઉન વિથ KV'

24 April, 2020 05:42 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરણવીર બોહરા લઈને આવ્યો છે 'લૉકડાઉન વિથ KV'

કરણવીર બોહરા

કરણવીર બોહરા


કરણવીર બોહરા મનોરંજનથી ભરપૂર લાઇવ સિરીઝ ‘લૉકડાઉન વિથ KV’માં વિવિધ પ્રકારના લોકોનાં જીવન વિશે જાણવાનો પ્રયાસ કરશે. આ અગાઉ તેણે પોતાના સેલિબ્રિટી ફ્રેન્ડ્સની સાથે 21 સવાલોની સિરીઝ ઇન્સ્ટાગ્રામ પર શરૂ કરી હતી. હવે આ વખતે તે અલગ-અલગ લોકોનાં જીવન પર પ્રકાશ પાડશે.

લૉકડાઉનને જોતાં આ સિરીઝ શરૂ કરવા વિશે કરણવીરે કહ્યું હતું કે ‘આ શો શરૂ કરવા પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે લોકોને બિઝી રાખવામાં આવે. વર્તમાનમાં ચાલી રહેલા તનાવની સ્થિતિને જોતાં લોકો સાથે વાતો કરી ખાસ કરીને તેમને સાંભળવા અને સારી કન્ટેન્ટ દેખાડીને તેમનું માઇન્ડ ડાઇવર્ટ કરવાનો હું પ્રયાસ કરવાનો છે. આ જ લક્ષ સાથે મારી સેકન્ડ સિરીઝ ‘લૉકડાઉન વિથ KV’ શરૂ કરવામાં આવશે. અલગ-અલગ લોકોની લાઇફ વિશે જાણવામાં અને તેમનાં રોજબરોજનાં કામ વિશે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આવા કપરા સમયમાં તેઓ કેવી રીતે સમય વિતાવે છે એ જાણવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2020 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK