લૉકડાઉનને લઈને લોકોને અમિતાભ બચ્ચને કહ્યું...ખબરદાર... ઘરમાં રહો
અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)
દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસને જોતાં લૉકડાઉનની સ્થિતિ છે. એવામાં લોકોને ઘરમાં સલામત રહેવાની સલાહ અમિતાભ બચ્ચને આપી છે. સાથે જ તેમણે કોરોનાને હરાવવાની પણ વિનંતી લોકોને કરી છે. એ વિશે ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘ખબરદાર... ઘરમાં રહો, બહાર ન નીકળો. આ કમબખ્ત ‘કોરોના’ને જીતવા ન દેતા. ના ના... તમે મારી વાત નથી સમજી રહ્યા. ‘કોરોના’ને ઊલટું વાંચો... તો થઈ જશે... ‘નારોકો’.