લતા મંગેશકરની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે
તસવીર સૌજન્યઃ PTI
બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ લતા મંગેશકરની તબિયત હવે ધિમે-ધિમે સુધારી રહી છે. તેમને સોમવારે મોડી રાતે દોઢ વાગે શ્વાસ લેવામાં તકલીફ થતાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. તેમને ન્યૂમોનિયાની સાથે જ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેઇલ્યોર થયુ છે. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એ વાત વાયુ વેગે ફેલાતાં તેમનાં ફૅન્સ અને શુભચિંતકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. લતા મંગેશકરનો જન્મ ૧૯૨૯ની ૨૮મી સપ્ટેમ્બરે થયો હતો. તેઓ હાલમાં ૯૦ વર્ષનાં થયા છે. તેમના સ્વાસ્થ્યની માહિતી આપતા તેમનાં પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ડિયર ફ્રેન્ડ્સ. તમને જણાવતાં ખુશી થાય છે કે તમારી પ્રાર્થના અને શુભકામનાઓને કારણે લતા દીદીની તબિયત હવે સુધારા પર છે. અમારો સાથ આપવા માટે સૌનો આભાર. ગૉડ ઇઝ ગ્રેટ.’
લતા મંગેશકર માટે મહામૃત્યુંજય જાપ અને હવન કરતા ચાહકો
લતા મંગેશકર હૉસ્પિટલમાં હોવાથી તેમના માટે ભોપાલમાં તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યાં છે. આ માટે ભોપાલના દુર્ગા મંદિરમાં સંસ્કૃતિ બચાઓ મંચ દ્વારા ગઈ કાલે મહામૃત્યુંજય જાપ અને હવન કરવામાં આવ્યો હતો.